________________
ગામના ભાવિક લોકોએ પણ આવીને તે ફલહિકાની પુષ્પ અને કપુરાદિ સુગંધી વસ્તુઓ વડે પૂજા કરી.ત્યાર પછી રાણે પાતાશાહને બધી સૂચનાઓ કરી પોતાના નગરે ગયો.
પાતાશાહે ફલહીને મોટા રથમાં સ્થાપી અને તે રથની આગળ અને પાછળ દોરડાઓ બાંધી તેને વળગેલા ઘણું માણસો અને બળવાન બળદે વડે ખેંચીને મહાશ્રમપૂર્વક પર્વતથી નીચે ઉતારી,અને પછી આગળ ચાલતા કુમારસેના ગામની પાસેના ઉપવનમાં તે રથ અટ, અને આગળ હવે જરા પણ ચાલી શકતો નહોતો. તે વખતે ત્રિસંગમપુર અને આસપાસના ગામના સંઘોએ આવી મહોત્સવ કર્યો. પાતાશાહે કુમારસેના ગામમાં તે ફલહી આવ્યાના ખબર સમ
રસિંહને આપવા પાટણ માણસને મેક. ફલહીનું શત્રુ જય સમરસિંહ પણ કુમારસેના પાસે ફલહી. પહોંચાડવું. પહોંચ્યાના સમાચાર જાણી જેમ મેઘધ્વનિથી
મયુર ખુશ થાય તેમ ખુશ થયો. સમરસિંહે ફલહી લઈ જવા માટે બળદ લેવાને સારૂ માણસે મોકલ્યા.તેઓએ દરેક ગામે જઈ તપાસ કરી. જેની પાસે સારા સારા બળદો હતા તેઓ પોતે પોતાના બળદે લઈને આવ્યા અને તેઓએ ઘણી ખુશીથી આપવા ઈચ્છા જણાવી. સમરસિંહના માણસોએ તેમાંથી વિશ બળદ લીધા અને તેઓને પુષ્કળ ધન આપવા માંડયું પણ તેઓએ લીધું નહિ.” સમરસિંહના માણસોએ બળદ લાવનાર માણસોને ભોજન, વસ્ત્ર અને તાંબૂલથી સત્કાર કર્યો. હવે સમરસિંહે લોઢાથી જડેલું, મજબૂત અને મોટું શકટ તૈયાર કરાવ્યું, તેને અને બળદને લઈમાર્ગના અનુભવી માણસને કુમારસેના ગામે મોકલ્યા. પાતામન્તી મજબૂત અને મોટા શકટને જોઈ ખુશ થયા. તેઓએ તે ગાડામાં ફલહીને ચડાવી તેટલામાં તે ગાડું તત્કાલ ભાંગી ગયું. મન્ની ખિન્ન થયા અને ફરીથી સમરસિંહ પાસેથી વધારે મજબૂત ગાડું મંગાવ્યું. તે પણ ફલહીં ચડાવતાવાર ભાંગી ગયું. એમ સમરસિંહે ત્રીજીવાર પણ ગાડું મોકલ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org