________________
ફલોહી નિકળ્યાના સમાચાર આપ્યા. સમરસિંહે તેને સુવર્ણના દાંત સહિત જીભ અને બે પદૃવસ્ત્રો આપ્યાં. તેણે આચાર્ય, સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાને એકઠા કરીને કહ્યું કે નિર્દોષ ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આવ્યા છે તે હવે આ ફલાહી વડે કે મત્રી વસ્તુપાલની ફલોહી વડે બિંબ કરાવું ? સંઘે પૂવે કહ્યા પ્રમાણે નવીન ફલહી વડે જિનબિંબ કરાવવાનો આદેશ આપ્યો. સંઘના અગ્રણે પુરૂષોએ સમરસિંહને કહ્યું કે, આખા મુખ્ય
પ્રાસાદને સ્વેચ્છાએ નાશ કર્યો છે, અને ઉદ્ધારના કાર્યને વિભાગ. તેની આસપાસની દેવકુલિકાઓ પણ પાડી
નાંખી છે. તેથી તે બધાં તૈયાર કરાવી તેની પ્રતિષ્ઠા કરાવાની છે. તે બધાના પુણ્યને માટે યથાયોગ્ય વહેંચીને તે કરવા સંઘે સૂચના આપવી જોઈએ. તેમાંથી કઈ શ્રાવકે એમ કહ્યું કે, સંઘની આજ્ઞા હેય તે મુખ્ય પ્રાસાદને હું ઉદ્ધાર કરાવું. સંઘે ઉત્તર આપ્યો કે જે જિનબિંબ કરાવે છે તેજ પ્રાસાદને ઉદ્ધાર કરાવે એ ઉચિત છે કેમકે જેનું ભજન હોય તેનુંજ તાંબૂલ હોય. એવો નિર્ણય કર્યો પછી સંઘે હર્ષ સાથે જુદા જુદા માણસને વહેચીને જુદા જુદા ધર્મકાર્યો કરવા માટે સોંપ્યા. સંઘે સોપેલા કાર્ય કરવાને ઉત્સુક થયેલા બધા શ્રાવકે પિતપોતાને ઘેર ગયા. દેશલશાહ સંઘના આદેશ મેળવી ખુશ થયા અને પાતાક મન્ત્રીને પુષ્કળ ધન કલી આગળ કામ કરવાની સૂચના મેકલી.
પાતાક મસ્ત્રીએ પણું બિંબને યોગ્ય શિલા નીકળી તેથી સ્વના કંકણ અને વસ્ત્રના દાનથી સૂત્રધારોને સંતુષ્ટ કર્યો. મહીપાલ દેવ પણ દેષરહિત અને અખંડ ફલહી નીકળેલી જાણું હર્ષ વડે પોતાના પુરથી ખાણ પાસે આવ્યા, અને સાક્ષાત્ જિન હોય તેમ તેણે તેની ચંદન પુષ્પાદિવડે પૂજા કરી. - હવે રાણાએ પર્વતથી તે ફલહિકાને સૂત્રધાર પાસે ઉતરાવી આરાસણમાં તેને પ્રવેશ મહત્સવ કર્યો. આરાસણની નજીકના
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org