________________
એમ કહી મહિપાલદેવ પાતાક મંત્રી સહિત સમરસિંહના પુરૂષોની સાથે આરસની ખાણ પાસે ગયો, અને આરસની શિલા. કાઢનારા બધા સૂત્રધારને બોલાવી તેની સાથે સન્માનપૂર્વક બિંબ માટે ફલહી–મોટી શિલા કાઢવાનું મૂલ્ય ઠરાવ્યું. સૂત્રધારેએ જે માગ્યું તેથી અધિક આપવાનું કબૂલ કર્યું. શુભ નક્ષત્ર, શુભ વાર અને શુભ લગ્ન ખાણની પૂજા કરી કાર્યને પ્રારંભ કર્યો. તે વખતે સમરસિહના માણસોએ સુવર્ણના અલંકાર, વસ્ત્રો, તાંબૂલ અને ભજનવડે સર્વ સૂત્રધારનું સન્માન કર્યું, યાચકને ઇચ્છિત દાન આપ્યું અને બધાને ભોજન માટે સત્રાકાર ખુલ્લું મૂક્યું.
કાર્યનો પ્રારંભ કરાવી અને મન્ચીને ત્યાં મૂકી મહિપાલદેવ ત્રિસંગમપુરે ગયા. ત્યાંથી તે રાજા હંમેશા માણસો મોકલીને ખબર કઢાવતો હતો અને કામ કરવાની સૂચના આપતો હતો. સૂત્રધારેએ ખાણ દવાને પ્રારંભ કરી દીધો અને થોડા દિવસમાં ફલહી બહાર કાઢી. ત્યાર પછી તેને પાણી વડે ધોઈને સાફ કરી ત્યારે મધ્ય ભાગમાં એક મોટી તડ જોઈ. તેઓએ સમરસિંહને તરત જ માણસે મેકલી ખબર આપ્યા. તેણે માણસે પાસેથી વચ્ચે તડ પડેલી ફલહીને નીકળેલ જણ બીજી નવીન ફલહી કાઢવાની સૂચના મેકલી. તેની સૂચના પ્રમાણે બીજી ફલહી કાઢી. તેને પણ તેવી જ રીતે તડ પડેલી હતી. હવે રાણો, મસ્ત્રી અને સમરસિંહના મનુષ્ય અત્યંત ખિન્ન થયા અને તે બધા દેવનું આરાધન કરવા અષ્ટમ તપ કરી ડાભના સંસ્તારક ઉપર સુતા. ત્રીજા દિવસે શાસન દેવતાએ આવીને ખાણુના અમુક ભાગમાંથી ફલહી કાઢવાની સૂચના કરી અને તે પ્રમાણે કરવાથી સ્વચ્છ અને સ્ફટિકના જેવી નિર્મલ અને નિર્દોષ લહી નીકળી.
મન્ત્રીએ સમરસિંહને ફલહી પ્રાપ્ત થયાના સમાચાર આપવા માટે માણસો મોકલ્યા અને તેઓએ પાટણ જઈ દેશલસહિત સમરસિંહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org