________________
પ્રસ્તાવ ૫
પાટણમાં પણ અખલિત દાન આપ્યાં, જિન ચૈત્યમાં અઠ્ઠાઈ ઉત્સવો કર્યા અને સોમનાથની પૂજા કરાવી.૨૧૬ તે પછી સમરસિંહ, મુગ્ધ રાજા પાસેથી શ્રીકરી () અને એક ઘેડ મેળવીને અજાઘરપુર તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનને વંદન કરવા માટે દેરાલની સાથે નીકળ્યો.૨૧
એ નગરમાં જે પાર્શ્વનાથ ભગવાન છે તે, સમુદ્રમાં મુસાફરી કરતા કઈ એક વહાણવટીને સ્વપ્નમાં પોતાને બહાર કાઢવાનો આ. દેશ કરીને તેમાંથી નીકળ્યા છે અને તે વહાણવટી એજ તેમનું અતુલ દેરાસર ત્યાં બંધાવ્યું છે. ૨૧ એ સ્થળે પણ મહાધ્વજા, મહાપૂજા વગેરે મહોત્સવ કરીને દેશલ, સંઘ સાથે કેડીનાર નગરમાં ગયો.૨૧૮
તેના સંબંધમાં આવી એક આખ્યાયિકા છેઃ–પૂર્વે (કેડીનારમાં) અંબિકા નામની એક બ્રાહ્મણ હતી. તેણે મુનિઓને અન્નદાન કર્યું, તેના પતિના અત્યંત ગુસ્સે થવાથી તે પોતાના બે પુત્રોને સાથે લઈને તેણી શ્રી નેમિનાથ ભગવાનનું સ્મરણ કરતી ગિરનાર પર્વત ઉપર ચાલી ગઈ. ત્યાં ભગવાનને વંદન કરી પોતાના બે પુત્રોને કળથી તૃપ્ત કરવા માટે તેણી એક આંબા નીચે ગઈ. પણ તેવામાં પોતાના પતિને ત્યાં આવતે જોઈ ભયને લીધે અત્યંત ગભરાઈ ગઈ અને તેના ચિત્તમાં વૈરાગ્યવાસના પણ ઉદ્દભવી હતી, જેથી તેણીએ શ્રીનેમિનાથનું શરણ લઈ પર્વતના શિખર ઉપરથી ઝંપલાવ્યું અને એ તીર્થક્ષેત્રમાં મરણ પામી ત્યાંની અંબાદેવી નામે તીર્થની અધિછાત્રી થઈ. ૨૨૯-૨૨૧ એ અંબિકાનું એક દેવળ, કેડીનારમાં પણ હતું. કેમકે, પ્રથમ તેણી ત્યાં રહેતી હતી. આ દેવળમાં કપૂર, કંકુ વગેરેથી તેનું પૂજન કરી સંઘપતિ દેશલે મેટી એક ધ્વજ ત્યાં અર્પણ કરી અને મેટો ઉત્સવ કર્યો. તે પછી સંધ અનુક્રમે દીવ બંદરે ગયે. ૨૨ - ૨૨૪ એ વખતે મળરાજ નામને ત્યાં રાજા હતો. તેણે સમરસિંહ ઉપરની
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org