SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશત્સવ તમાં પ્રવેશ કરે તેમ, પ્રભાસપાટણમાં પ્રવેશ કર્યો. તે વેળા સેમનાથનો મુખ્ય મહંત તેની આગળ ચાલતું હતું, તે મહંતતા બીજા અનુયાયીઓ પિતાની મેળે ઉત્સવ કરીને તેના ઉત્સાહમાં વૃદ્ધિ કરતા હતા, પાટણનગરમાં પણ દરવાજે દરવાજે તોરણે લટકાવી દીધાં હતાં અને ચોતરફ પતાકાઓ ફરકી રહી હતી.૨૭–૨૧° સપુરુષને માન્ય એવો તે દેશલ, શ્રી સોમેશ્વર મુગ્ધરાજની પાસે હર્ષની સાથે ઉત્સવપૂર્વક એક પ્રહર સુધી રહ્યો.૨૧૧ અહો! આ ઘણું આશ્ચર્ય ગણાય કે, જે પૂર્વકાળમાં સંપ્રતિરાજા, શાતવાહન, શિલાદિત્ય, તથા આમ રાજા વગેરે રાજાઓએ, તથા સત્યયુગમાં ઉત્પન્ન થયેલા બીજા ધનવાન જેનેએ તથા કુમારપાલ જેવા મહારાજાએ પણ જે વૈરને દૂર કર્યું ન હતું તે વૈર દેશલના ભાગ્ય ગે હમણું કળિકાળમાં પણ દૂર થયું. ૨૧૬ શ્રી જૈનશાસન અને શિવશાસનનું પરસ્પર સ્વાભાવિક વૈર દૂર કરીને તે બન્ને મુગ્ધરાજ તથા સમરસિંહની પર્ષદ મિત્રની સભાની જેમ શોભતી હતી.૧૧૩ સંધપતિ દેશલે એ પ્રિય મેળાવડામાં સમસ્ત સંઘને સ્થાપિત કર્યો અને વૈરભાવ દૂર થવા રૂપ) જે આશ્ચર્ય સત્યયુગમાં પણ બન્યું ન હતું તે એના ભાગ્યયોગે તે વેળા બન્યું. ૨૧ એ સમયે કોઈ એક કવિએ આ પ્રમાણે ગાયું હતું આ પૃથ્વી ઉપર કેટલા સંધપતિઓ થયા નથી ? અર્થાત અનેક સંઘપતિઓ થઈ ગયા છે, પણ હે સાધુવીર સમરસિંહ! તેઓમાં એકેય તારા માર્ગને અનુસરી શકો નથી. તારા જેવું કામ કરી શક્યો નથી. કેમકે તે શ્રીનાભિનંદન ભગવાનને ઉદ્ધાર કર્યો, દરેક નગરમાં ત્યાંના રાજાઓ તારી સામે આવ્યા અને છેવટે શ્રીસમનાથના નગરમાં (પ્રભાસ પાટણમાં) પણ (ત્યાંના શિવધની ઓને આનંદ સાથે) તે પ્રવેશ કર્યો. આ પ્રકારે તારી નવી કીર્તિ જગતમાં ઝળકી રહી છે. ૨૧૫ દેશલે તે પ્રભાસ (૨૨૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy