SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ સંઘની સાથે ત્યાં આવેલું સાંભળી તેની સામે આવ્યું. તે વખતે વજ તથા ચક્રનાં ચિહથી યુક્ત હાથવાળા જૂનાગઢને રાજા તથા સમરસિંહ પ્રીતિપરાયણ થઇને અન્યોન્યને જ્યારે મળ્યા, ત્યારે ઇન્દ્ર તથા ઉપેન્દ્ર સમાન શોભવા લાગ્યા. ૧૭૮ તેઓ બને પરસ્પર આલિંગન કરીને એક આસન પર બેઠા અને પ્રેમપૂર્વક કુશલપ્રશ્ન આદિ વાર્તાલાપ કરીને પ્રસન્ન થયા. ૧૭% સાધુ સમરસિંહે જાતજાતનાં ભેંટણું ધરીને રાજાને સંતોષ્યો અને તે રાજાએ પણ બમણી ભેટ આપીને સમરસિંહને સંતુષ્ટ કર્યો. ૧૮૦ પછી શ્રીમહીપાલદેવે સમરસિંહની સાથે આવીને સંધપતિ દેશલને પ્રવેશ મહત્સવ કર્યો. ૧૮૧ અને સમરસિંહદ્વારા તેજપાલપુરની પાસે સંધ માટે રહેવાની વ્યવસ્થા કરાવીને રાજા પિતાના નિવાસસ્થાનમાં ગયા. ૧૮૨ ઉપર ચાનિક અસર ખાતે ૧૮ તેણે પ્ર સંઘનું ગિરનાર ઉપર જવું તે પછી ગિરનારના મસ્તક ઉપર મુકુટસમાન શ્રી નેમિજિનને વંદન કરવા માટે દેશલ, પિતાના ગુરુ તથા સમસ્ત સંધની સાથે પર્વત ઉપર ચઢો.૧૦ અને ત્યાં પણ સાધુએક સંઘપતિ દેશલે મેટી ધ્વજા ચઢાવી, સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂક્યાં પૂજા કરી અને દાનાદિક સર્વ વિધિ શત્રુંજયની પેઠેજ કર્યા. ૧૮૪ તેણે પ્રદ્યુમ્ન તથા સાંબનાં ઉંચાં શિખરનાં દર્શન કર્યા અને ત્રણ કલ્યાણને લીધે મુખ્ય ગણાતાં દેરાસરમાં પણ ભગવાનનાં દર્શન કર્યા ૧૦૫ તેમજ ત્યાં યાત્રા કરતાં કરતાં દેશલે સર્વ દેરાસરમાં મેટી પૂજા કરી, મેટી વજાઓ અર્પણ કરી અને એ પ્રમાણે કરીને તે મહાબુદ્ધિમાન પુરુષે પિતાના પૂર્વજોને અત્યંત ઉદ્ધાર કર્યો. ૧૮૬ વળી સંધપતિ શ્રીદેશલે યુ તથા પૌત્રની સાથે અંબામાતાનું જ્યારે પૂજન કર્યું કે તેજ સમયે પ્રસન્ન થઈને માતાએ સમરસિંહને પુત્રને લાભ આપી તેની ( ૨૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy