________________
સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ
કૌટુંબિક વૃદ્ધિ કરી. ૧૮૭ અને તે એગ્ય જ ગણાય કે જેના ખોળામાં હમેશાં પુત્ર રહ્યા છે એવી અંબા પુત્રો આપે છે. લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે જે વસ્તુ હોય છે તેજ આપી શકાય છે. ૧૦૮ એ રીતે સમરસિંહને પુત્રપ્રાપ્તિરૂપ ઉન્નતિ પ્રાપ્ત થઈ, ત્યારે દેશલે વિશેષે કરી શ્રી અંબાજીનું પૂજન કર્યું અને પુત્રના લાભથી “આ ધર્મ તુરતજ ફળ આપે છે. આવો મનમાં વિચાર કરી તેનું વદ્ધાન કરાવ્યું. ૧૮૯-૧૦ તે પછી દેશલે ભવ્યલોકેના દેશોને દૂર કરનાર શ્રી ગજેન્દ્રપદકુંડના જળમાં સ્નાન કર્યું અને તેના પ્રભાવથી પાપને જલાંજલી આપી–પાપથી મુક્ત થયો. ૧૯૧ સહજપાલ વગેરે દેશલના નીતિમાન પુત્રોએ પણ સ્વચ્છ હૃદય સમાન એ કુંડમાં સ્નાન કર્યું અને સંસારરૂપ ઘોર વનમાં ફરવાથી થયેલી ગ્લાનિને દૂર કરી આનંદ પ્રાપ્ત કર્યો. ૧૨ એ પ્રમાણે દશ દિવસ એ તીર્થમાં રહીને સંધપતિ દેશલ શ્રી નેમિનાથની આજ્ઞા લઈ ગિરનાર ઉપરથી ઉતર્યો. ૬૯૩
સમરસિંહને મુગ્ધરાજનું આમંત્રણ તે સમયે દેવપત્તન (પ્રભાસપાટણ)ને રાજા સમરસિંહને મળવા માટે ઉતિ થશે. ૧૯૪ તેણે સમરસિંહની પાસે પિતાના પ્રધાનોને મેકલ્યા અને એક વિજ્ઞપ્તિ પત્ર (તેઓઠારા) તેના હાથમાં આપ્યો. તેમાં તેણે જણુવ્યું હતું કે હું સમરસિંહ! સમગ્ર કળાઓને ધારણ કરનારા અને પવિત્ર એવા તમે એક ચંદ્રરૂપ છે, માટે તમારે એ પ્રમાણે કરવું જોઈએ, કે જેથી મારા ચિત્તરૂપી ચકેર પ્રસન્ન થાય. ૧૯૫૧૬ આ લેખનો અર્થ જાણું લઈને સમરસિંહ ત્યાં જવા માટે ઉત્સુક બન્યા. કેમકેએક મનુષ્ય ભૂખ્યો હોય અને તેને ભોજનનું નિમંત્રણ આવે તેવુંજ એ બન્યું હતું (અર્થાત સમરસિંહને ત્યાં જવાની ઇચ્છા તો હતી જ અને ત્યાંથી નિમંત્રણ આવ્યું) ૧૯૭ તે
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org