________________
પ્રસ્તાવ છે
હે યક્ષેશ! ધર્મકાર્યમાં તમે મને સહાયક થશે અને મારું વિધિને નાશ કરજે.” ૧૫૭ આવી તે યક્ષની પ્રાર્થના કરીને સંઘનાયક દેશલે શ્રીસિદ્ધસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવાની તૈયારી કરી. ૧૫૮ તે શ્રીમાન સાધુ દેશલ, વીશ દિવસ સુધી પોતાના પુત્રોની સાથે એ તીર્થ ઉપર રહ્યો હતો. એકવીસમા દિવસના પ્રાતઃકાળમાં સર્વ અરિહતોની પ્રતિમાને વંદન કરી સત્વર તે પર્વત ઉપરથી ઉતરી ગયો. ૧૫૯ તે વખતે પાંચ પાંડવોની સાથે રહેલા શ્રીકૃષ્ણની પેઠે સાધુ દેશલ પાંચ પુત્રોની સાથે હેઈને શોભતો હતો અને તેની બને બાજુ સેંકડે ઘોડેસ્વારો વીંટાયેલા હતા. ૧૬° તે પછી દેશલ, વાદિ
ના ગડગડાટપૂર્વક અને મોટા ઉત્સવ પૂર્વક સંધની સાથે (તળેટીમાં રહેલા સંઘના નિવાસસ્થાનમાં આવ્યો અને ત્યાં આવીને તેણે પૂજ્ય મહામુનિઓની પાસે પોતે જાતે જઈને શુદ્ધ ચિત્તથી અને સન્માનપૂર્વક પાંચ વર્ણવાળા પકવાન, ચંદ્ર જેવા ઉજજવળ સ્વાદિષ્ટ લાડુ વગેરે, સુગંધીન્દાળભાત, ગાયોનાં ઘી અને શુદ્ધ જાતિનાં અનેક શાકે વહેરાવીને તેઓની પૂજા કરી મુનિમહારાજેને સંધ્યા. ૧૬-૧૬૨ તેમજ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે સાધુએ, પરિવાર સહિત સમગ્ર સંઘને નેતરીને અમૃતતુલ્ય વચનથી સુન્દર એવી પોતાની ભક્તિથી તેને સતિષીને આદરપૂર્વક અત્યંત સ્વાદિષ્ટ એવાં જાત જાતનાં ખાનપાનનું ભેજન આપ્યું.૧ ૬૩ ઉપરાંત ચારણને, ગવૈયાઓને, બારેટ તથા સમગ્ર યાચકને પણ યથેષ્ટ રઈ વડે દેશલે જમાડ્યા. ૧૬૪ એટલું જ નહિ પણ પરદેશથી આવેલા દીનજને, દરિદ્ધિઓ તથા વેગીઓને પણ પ્રસન્ન કરવા માટે સાર્વજનિક અન્નસત્ર તેણે ખુલ્લું મૂકયું. એ મહત્સવમાં પાંચસે પદસ્થ આચાર્યો, વાચનાચાર્યો તથા ઉપાધ્યા આવ્યા હતા. ૧૬ સાધુ સહજપાલે મહારાષ્ટ્ર અને તિલગ દેશમાંથી બારીક અને સુંદર એવાં જે વસ્ત્રો આપ્યાં હતાં
(૩૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org