________________
પ્રતિષ્ઠા વિધાન
લાવણ્યરૂપ અમૃતથી યુક્ત આપના બન્ને ચરણ, સંસારરૂપ નિર્જળમાર્ગમાં ભ્રમણ કરીને આતુર બનેલા અને પુણ્યરૂપ જળથી રહિત એવા સંસારીઓને શરણરૂપ થાઓ. ૧૪૮ એ પ્રમાણે હે નાથ! આ અમૃતાષ્ટક સ્ત્રોત્રથી અત્યંત આનંદપૂર્વક મેં આપની સ્તુતિ કરી છે, માટે હે નાભિનંદન જિન! આપ મારા પર પ્રસન્ન થાઓ અને મને મોક્ષનાં સુખ અર્પણ કરે.” ૧૪૯ શ્રી સિદ્ધસૂરિએ એ રીતે જગતના નાથ શ્રી આદિનાથ જિનેશ્વરની હર્ષપૂર્વક સ્તુતિ કરી અને પછી સાધુ દેશલની સાથે તે પાછા આવ્યા, ૧૫° તે પછી દેશના પાંચે પુત્રએ પણ સંઘના સર્વ મનુથ્ય સાથે અદ્દભુત આનંદ ધારણ કરીને ભગવાનની આરતિ ઉતારી. ૧૫૧ સાધુ દેશલ, એ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ કરીને પોતાની ઈષ્ટ સિદ્ધિથી અત્યંત આનંદમાં આવી ગયો, જેથી તેણે આદિનાથ ભગવાનની આગળ પિતાના પુત્ર તથા સંધની સાથે નૃત્ય કર્યું. ૧૫૨ તે દેશલે ત્રણે લોકની પ્રભુતા જાણે પ્રાપ્ત થઈ હોય તેવો મનમાં વિચાર કરીને તે વેળા નૃત્ય કર્યું અને હર્ષથી પિતાના બન્ને હાથ ઉંચા કરીને જિન ભગવાન આગળ તેણે આ પ્રમાણે વિનતિ કરી–૧૫૩ “હે પ્રભુ! સંસારસમુદ્રમાં ડુબેલા પ્રાણીઓના ઉદ્ધાર કરવામાં આપ એકજ ધીર–વીર છે. હે દેવ ! આજે તમે મારા પર પ્રસન્ન થાઓ, અને પુનઃ પુનઃ આપનાં દર્શન અને આપતાજ રહે.” ૧૫૪ તે પછી સાધુ દેશલ યુગાદિ દેવની આજ્ઞા માગીને કપર્દી પક્ષના મંદિરમાં ગયો અને પિતાના મુખને પ્રસન્ન કરી લાડુ, નાળીએર–વગેરેથી તે યક્ષની પણ તેણે પૂજા કરી. ૧૫૫ તેમજ એ યક્ષના મંદિર ઉપર પણ તેણે રેશમી વસ્ત્રની અપૂર્વ ધ્વજા બંધાવી, જે ધ્વજા, પ્રદીપ્ત એવા પિતાના યશરૂપી મંડપને શોભાવવા માટે ચઢાવેલી પતાકા સમાન દેખાતી હતી. ૧૫૬ પછી સાધુ દેશલે જિનાચની વિધિમાં નિરંતર તત્પર રહેનારા ક્ષ િચક્ષને પ્રાર્થના કરી કે
(૨૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org