SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ ૧૩૯ તેજ પ્રમાણે શ્રી સિદ્ધસૂરિએ પણ સંધની આગળ રહેને શસ્તવ ઉપરાંત આદિજિનેશ્વરની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી–૧૪૦ “હે દેવ ! અમૃતના સ્થાનરૂપ આપના મુખનાં દર્શન કરીને અમારી બુદ્ધિરૂપી દષ્ટિવિષવાળી નાગણીએ મિથ્યાત્વમોહરૂપી ઝેરને ત્યાગ કર્યો છે, અને હવે તે પુષ્કળ આનંદ મગ્ન જ બની રહી છે. ૧૪ હે દેવ ! આપના મુખચંદ્રના અમૃતમય કુંડમાંથી શ્રેષ્ઠ જ્ઞાનિપુરુષોએ અમૃતની વૃષ્ટિ કરનારા જે શાસ્ત્રો રચ્યાં છે તેનું શ્રવણ કરીને મારું મન સંસારથી ઉત્પન્ન થનારા દાહનો ત્યાગ કરીને હવે શાંત થયું છે. ૧૪૨ હે જિનદેવ ! આપને આ હાથ વિશેષે કરીને અમૃતના સમાન આનંદ ઉપજાવે છે, અને હું માનું છું કે, રતિ, કુદષ્ટિ અને વિકારના ત્રણે દોષો આપ માંથી દૂર થયા છે, જેથી આપ જગતમાં દર્શનપાત્ર થયા છો. ૧૪૩ અહો ! હે દેવ ! અજવાળી આઠમના ચંદ્રતુલ્ય આપના લલાટને જોઈને આજે મારા નેત્ર રૂપી ચકારપક્ષીનું યુગલ, તેની (લલાટની) કાંતિના તરંગસમુહનું પાન કરી તેજ ક્ષણે પુષ્ટ બની ગયું છે. ૧૪૪ હે દેવ ! આપનું આ શરીર, કે જે અગણિત પુણ્યસમુદાયથી ભરપૂર છે અને અનંત કલ્યાણનું કારણ છે, તેનું જે માત્ર એકજવાર દર્શન થયું હોય તે, ભવ્ય જીવોને મરણ પછી અજરામર એક્ષસુખ અર્પણ કરે છે. ૧૪૫ હે દેવ ! આપની જિ, ખરેખર અતિરસ ભરેલાં વાક્યામૃતની એક તળાવડી સમાન જ છે. કેમકે તે પિતાની સ્પંદન ક્રિયાથી ઉત્પન્ન થયેલા સરસ વચન સમૂહના વિસ્તારરૂપ જળ તરંગોનું જ સિંચન કરીને અમારા શરીરને શીતલ કરે છે. ૧૪૪ હે જિનપતિ! આપનાં બન્ને ને, જગતનું કલ્યાણ કરનારા આપના શરીરમાં આવી રહેલા અમૃતના બે સમુદ્ર સમાન છે. કેમકે, હે જિનેશ! એમાં સંસારથી ઉત્પન્ન થનારાં દુઃખરૂપી દાહની શાંતિ થાય છે. ૧૪૭ હે દેવ ! લાલ કાંતિવાળા અને (૨૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy