SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠા વિધાન ભક્તિમાન થઈને પિતાના પિતાના ચરણથી આરંભીને નવે અંગેનું ચંદનનાં તિલક કરીને પૂજન કર્યું. ૧૨૯ અને તેમના લલાટમાં સુખડનું તિલક કરીને તે ઉપર તેના ભાગ્યની જાણે પુષ્ટિ કરતા હોય તેમ અક્ષત-ચોખા ચોડ્યા. ૧૩૦ પછી સમરસિંહ માલતી, બારસળી, ચંપ અને મગરે-વગેરેનાં પુષ્પોથી ગુથેલી માળા, મેક્ષલક્ષ્મીના સ્વયંવરની જાણે વરમાળા હોય તેમ, પિોતાના પિતાના કંઠમાં પહેરાવી.૧૧ તેમજ સંધના બીજા પુરુષોએ પણ સાધુ દેશલના ચરણમાં તથા લલાટમાં મલયચંદનનાં તિલક કર્યા, આરતિની પૂજા કરી તેના કંઠમાં પુષ્પોની માળા પહેરાવી અને સુવર્ણની વૃષ્ટિ કરી.૧૩૨ તે સમયે કેટલાએક ગવૈયાઓ શ્રીજિનેન્દ્ર ભગવાનના ગુણગાન કરવામાં તલ્લીન બની રહ્યા હતા, તેઓને સમરસિંહે પોતે કીંમતી સુવર્ણ કંકણું, ઘેડા તથા વનાં દાન કરીને પ્રસન્ન કર્યા.૧૩૩ પછી દેશલે આદિનાથ ભગવાનની આરતી ઉતારી અને તેમની પૂજા કરી પ્રણામ કરીને મંગળદીવો ગ્રહણ કર્યો. ૧૩૪ તે વેળા બારેટ વગેરે ભાટ સિંહના જેવા ગંભીર સ્વરથી શ્રીયુગાદિ જિનેશ્વરની ગુણવલી ગાવા લાગ્યા.૧૩૫ બીજા સ્તુતિપાઠકે પણ સાધુ દેશલની તથા સમરસિંહની કાતિલતાને મેઘ સમાન પોષણ આપનાર બિરદાવલીને આનંદપૂર્વક હાથ ઉંચા કરી કરીને બોલવા લાગ્યા ૧૩૫ તે સાંભળી સમરસિંહે બારોટ વગેરે ભાટને રૂપું, સુવર્ણ, રત્નો, ઘોડા, હાથી તથા વનાં હર્ષ પૂર્વક દાન આપ્યાં. ૧૩૭ તે પછી શ્રીદેશલે સુગંધી કપૂરના ખંડવડે મંગળદીવો પ્રકટ કરીને મંગળદીપસ્તવન ભણવા માંડયું કે તુરતજ તેની સાથે મેટાં વાદિત્રોના શબ્દો પણ થવા લાગ્યા. ૧૩૯ એ રીતે મંગળદી ઉતારી લઈ દેશલે, સંધની સાથે પોતાના ડાબા ઢીંચણને સંકેચી લઈ પૃથ્વી પર મૂકો અને મુખને પૃથ્વીપર રાખી, મસ્તક ઉપર બે હાથ જોડીને શકસ્તવથી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી. (૨૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy