________________
પ્રસ્તાવ ૫
૧૧૮ પ્રતિદિન પ્રાત:કાળે શ્રીસિદ્ધસૂરિ ગુરુના ચરણયુગલમાં પ્રણામ કરી સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિ કરનારાં ભાતપાશું વહેરાવીને પ્રસન્ન કરતો હતો અને તે પછી પિતે પિતાના પુત્રોની સાથે પારણું કરતો હતો.૧૧એટલુંજ નહિ પણ ઉત્તમ વૈભવવાળો તે દેશલ ભાટચારણોને તથા સર્વ ગવૈયાઓને પણ યથેષ્ટ ભોજન કરાવતો હતો. ૧૨૦ ઉપરાંત યોગીઓ, દીનમનુષ્યો, અનાથે તથા દરિદ્રીઓને પણ ભોજનની સવડ થાય, તે માટે તેણે એક અસત્ર ખુલ્લું મૂકયું હતું.૧૨૧ એ રીતે સંધનાયક દેશલ ધર્મમાં પરાયણ થઈને હમેશાં દાન આપત. બરાબર દશ દિવસ સુધી તીર્થનાથનો દશ દિવસનો મોટો ઉત્સવ કર્યો.૧૨ ૨ પછી અગીઆરમે દિવસે પ્રભાતમાં પોતાના ગુરુ શ્રી સિદ્ધસૂરિને હાથે દેશલે, સમગ્ર સંઘની સાથે ભગવાનના હાથેથી કંકણબંધન છૂટું કરાવ્યું અને પોતે નવા કરાવેલા સુવર્ણના મુકુટ, હાર, શોભાયમાન કંઠાભૂષણ, બાજુબંધ તથા કુંડલ આદિ અલંકારે ચઢાવીને જગ...ભુ આદિનાથનું પૂજન કર્યું. ૨૪-૧૨૪ તે વેળા બીજા પણ ભવ્ય જનાએ જિનભગવાનની આગળ અનુક્રમે અતિસુંદર મોટી ધ્વજાએ બંધાવી, મેરુપર્વત પૂરાવ્યા અને સ્નાત્ર કરાવ્યાં.૧૨૫ તેમજ સંઘમાં આવેલા સર્વ સંધ પુરુષોએ પણ પોતપોતાના વારા પ્રમાણે ભગવાનની મહાપૂજા, દાન તથા અન્નસત્રો વગેરે પુણ્યકર્મો કર્યા. ૧૨૬ અને પછી દેશલ, સમગ્ર સંઘની સાથે તથા સુગુરુઓની સાથે હાથમાં આરતિ ઉંચી કરીને આદિનાથ ભગવાનની આગળ ઉભો રહ્યો અને તે વખતે તેના બન્ને બાહુ આગળ ધર્મમાં નિત્ય ઉદ્યમી રહેનારા અને ગુણના ભંડારરૂપ સાધુ સાહણ તથા સાંગણ હાથમાં ચામર ધારણ કરીને ઉભા રહ્યા. ૧૨૭ બીજી તરફથી સામંત અને સહજપાલ પણ હાથમાં કલશ ગ્રહણ કરીને પિતાના પિતા સાધુ દેશલની બન્ને બાજુ ઉભા રહ્યા. ૧૨૮ તે વખતે સાધુ સમરસિંહે
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org