________________
પ્રસ્તાવ પ
તે મદેવી માતાનું વિધિપૂર્વક પૂજન કર્યું. અને આગળ ચાલી શ્રીશાંતિનાથના દેરાસરમાં જઈ તે ભગવાનનું પણ તેણે પૂજન કર્યું.૧૧ પછી સધતિ દેશલ, આદિનાથ વગેરે જિનેશ્વરાની પૂજા કરીને સંધની સાથે કર્દિ યક્ષનાં દર્શન કરવા માટે ગયા, કે જેની મૂર્તિના તેણે પાતેજ ઉદ્ધાર કર્યા હતા. ૧૨ ત્યાં જઈને તે આખા સધની સાથે ઉભા રહ્યા અને ક્રૂકતી પતાકાવાળા દેરાસરને જોઇને તેણે માન્યું કે, સોંસારસમુદ્રને સામે પાર જવા માટે આ એક નૌકાપાત્રજ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૬ એ રીતે એક દૃષ્ટિથી તેને જોતા જોતા સંઘપતિ દેશલ અનુક્રમે યુગાદિનાથ ભગવાનના સિંહદ્વારમાં જઈ પહેાંચ્યા. તે દ્વાર પ્રવેશ કરતી વખતે માક્ષલક્ષ્મીનુંજ જાણે બારણું હોય તેવું જણાતું હતું. ૧૪ ત્યાં ઉભા રહીને દેશલે શ્રીયુગાદિનાથ ભગવાનનાં દર્શન કર્યાં અને પછી હપૂર્વક સુવર્ણ, વો, મેાતી તથા અલકારા–વગેરે પુષ્કળ ધનની દૃષ્ટિ કરી.ર૫ તે પછી દેરાસરના મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી તેનું ચિત્ત પાતે કરાવેલી આદિનાથ ભગવાનની મૂર્તિને વંદન કરવા માટે આતુર બન્યું અને તુરતજ પૃથ્વી પર લેાટી પડીને સધપતિ દેશલ આદિનાથ ભગવાનની સમીપમાં ગયા.૧૬ પછી પાતે ઉભે થઇને અમૃતની મૂર્તિને જેમ ભેટી પડે તેમ, સર્વાંગે એ ભગવાનને ભેટી પડ્યો. કેમકે સમગ્ર જગતને સજીવન કરનારા-વિતદાન આપનારા દુર્લભ ખજાનાને સંપાદન કરી કયા મનુષ્ય મદમત્ત ન બને—આનંદમગ્ન ન થાય ?૧૭ તેણે ભક્તિપૂર્ણાંક પ્રણામ કરીને આદિનાથની તે લેખમય મૂર્તિનું પુષ્પ વગેરેથી પૂજન કર્યું અને પછી તેમને પ્રદક્ષિણા કરવાનું મન કરીને કાટાકાટીના ચૈત્યમાં રહેલા સર્વ અરિહંતાની પણ પૂજા કરી. ૧૮ તે પછી સધનાથ દેશલે (ત્યાં રહેલી ) પાંડવાની પાંચે મૂર્તિઓનું તથા (તેઓની માતા) કુંતીનું પણ પૂજન કર્યું અને ત્યાંથી આગળ
( ૨૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org