________________
સંઘ સહિત દેશલનું શત્રુંજ્ય ઉપર જવુ
મોક્ષના પગથીઆ રૂપ માની લીધો. તેણે શ્રીસિદ્ધસૂરિ પ્રભુને તે વખતે પિતાના હાથનો ટેકે આપો અને બન્ને પ્રકારના પતનથી ( પર્વતની નીચે પતનથી તથા નરકપતનથી ) મુક્ત થઇને પર્વતનાં પગથીયાં ઉપર ચઢવાને આરંભ કર્યો. તે વખતે આસોપાલવ, સાદડ, દેવદાર, આંબા અને સાગ વગેરે વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લઈને ભવ્યજનો સંસારના તથા શરીરના પરિશ્રમને દૂર કરવા લાગ્યા. ૪ વળી એ પર્વત ઉપર પિતાની ડોક પહોળી કરીને મયૂર શબ્દ કરતો હતો તેને સાંભળીને તથા તેનું નૃત્ય જોઈને કેટલાએક મનુષ્યો તે શિખી લઈ તે પ્રમાણે શ્રીભગવાન આગળ નૃત્ય કરવાને તે મયૂરને જ પોતાના અધ્યાપક તરીકે કહેતા હતા. પ બીજી તરફ હારીત, ચકોર, ચાષ, મયૂર, કાંડવ અને સારસ વગેરે પક્ષીઓ સુંદર સ્વરે ગીત ગાઈ રહ્યાં હતાં, તે સાંભળીને મનમાં પ્રસન્ન થયેલા ભવ્યજનો, પર્વત ઉપર ચઢવાના પરિશ્રમને ગણતા ન હતા. વળી તે સ્થળે પર્વતમાંથી જે ઝરણાં કરતાં હતાં તેને ગંભીર શબ્દ સાંભળીને લોકે, “આ મેઘધ્વનિ છે ” એવી ભ્રાંતિથી પોતાનાં વસ્ત્રોને બાંધી લેતાં હતાં. છ તે પર્વત ઉપર જે પવન વાતો હતો તે ઝરણાના જળકણો સાથે મળીને તેમજ ફલ ઝાડના વનમાં અથડાઈને ઘણોજ ધીમે ધીમે સર્વત્ર ફેલાતો હતો અને લકેના શરીરનો સ્પર્શ કરીને તેઓને સંતોષ આપતા હતાસંધપતિ દેશલ, કે જેના ગુણસમુદાયનું ભવ્યજને ગાન કરી રહ્યા હતા અને જેની પાછળ દેવસમાન તેના ત્રણ પુત્રો ચાલી રહ્યા હતા તે છેક ઉપરના ભાગમાં ચક્યો અને ત્યાં ચઢીને પ્રથમ પ્રવેશ કરતાં જ આદિનાથ ભગવાનની માતાનાં તેણે દર્શન કર્યા અને પિતાના મનમાં તેણે માન્યું કે, હરકોઈ માતા પોતાના પુત્રથીજ જગતમાં વંદ્ય થાય છે. ૧૦ પછી સર્વ વિધિને મનમાં જાણનારા તે દેશલે, પિતે ઉદ્ધરેલી
(૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org