________________
પ્રસ્તાવ ૫
अथ प्रभाते पुरपादलिप्त
निवासिनं पार्श्वजिनं प्रणम्य । वीरं च तीरे सरसोऽर्चयित्वा
शैलस्य मूलं स ययौ ससंघः ॥ સંઘ સહિત દેશલનું શત્રુંજય ઉપર જવું તે પછી પ્રભાતમાં પાદલિપ્ત (પાલીતાણા) નગરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી તેમજ તળાવના કાંઠા ઉપર રહેલા શ્રી વીર ભગવાનનું પૂજન કરી સંઘપતિ દેશલ, સંઘની સાથે પર્વતના મૂળ ભાગમાં ગયે. ત્યાં પણ શ્રી નેમિનાથ ભગવાનનું પૂજન કરી સંઘપતિ દેશલ, પોતાના પુત્રોની સાથે ઉન્નત પર્વત ઉપર ચઢવાને તૈયાર થયો અને તે વેળા એ પર્વતને જ તેણે
( ૨૦૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org