________________
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
તે સિંહભટ નામે શ્રાવક પણ સંઘમાં આવ્યો હતો. ૩૬ ૪ શ્રીવાસ્તુપાલ મંત્રીના વંશમાં મંગળદીવા સમાન મંત્રીશ્વર વીજલ પણ હર્ષથી સંધમાં આવ્યો હતો. ક૬૬ તેમજ મદન, મલ્હાક, રત્નસિંહ વગેરે બીજા અસંખ્ય શ્રાવકે પણ પ્રતિષ્ઠામાં ઉત્કંઠા ધરાવીને તે સંધમાં આવ્યા હતા. ૬૭ સાધુ સમરસિંહે એ સર્વ શ્રાવકેની યેગ્યતા પ્રમાણે સંભાવના કરી સર્વને યથાયોગ્ય માન આપ્યું. કેમકે બુદ્ધિમાન પુરુષો કેઈનું આદરાતિધ્ધ કરવામાં કદી પ્રમાદ કરે ? (ન જ કરે). ૩૬૮ એ રીતે સમગ્ર સંધનું સન્માન કર્યા પછી સમરસિંહ પિતાના બન્ને ભાઈઓની સાથે ઉત્સવપૂર્વક ધ્વજા-પતાકાવાળા મેટા સંઘમાં આવી પહોંચ્યા ૩૬૯ ત્યાં શ્રીરામ અને લક્ષ્મણની પેઠે બને ભાઈઓએ પિતા દેશલના ચરણમાં ભકિતપૂર્વક વંદન કર્યું. ૩૭૦ ત્યારે દેશમાં પણ પુત્રના સ્નેહરૂપ અમૃતના સિંચનથી શરીરે રોમાંચ થવાને બહાને જાણે અંકુરિત થયો હોય તેવો જણાવા લાગે. ૩૭૧ તે પછી સંઘપતિ દેશલ, કે જેનું ચિત્ત પોતાના પુત્રના આવવાથી આનંદમગ્ન થયું હતું તે સમગ્ર સામગ્રીઓ તૈયાર કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે વિમળાચળ ઉપર ચઢવાને તત્પર થયો. ૩૨
ચતુર્થ પ્રસ્તાવ સમાપ્ત
(૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org