________________
પ્રસ્તાવ ૪
તેવામાં તે વધામણી આપનારે એક માણસ તંભતીર્થથી-ખંભાતથી ત્યાં આવ્યો. ૩૫૩ અને તેણે સમાચાર આપ્યા કે, દેવગિરિથી સહજપાલ અને તંભતીર્થથી સહણ-બને જણું સંઘની સાથે અહીં આવી પહોંચ્યા છે.” ૩૫૪ તે સાંભળીને સંધ ઉપરની ભક્તિ અને ભાઇના નેહને લીધે સમરસિંહને જેમ સુવર્ણ અને સુગંધનો યોગ જાણી આનંદ થાય તેમ આનંદ થયો. ૩૫૫ તે પછી સંધનાયક સમરસિંહ સજજનોનાં મનને ઉત્કંઠિત કરીને સંધની સાથે તેઓની સામે ગયે. ૩૫કે તે વખતે અપાર ઘોડેસ્વારથી, ઘડાયુક્ત રથોથી, અનેક પાળાઓથી અને વેગવાળા ધનુર્ધારીઓથી પૃથ્વીને કંપાવતે. તેમજ લેકના સમુદાયથી પૃથ્વીને ભરી દે અને કહલાનાં શબ્દોથી દિશાઓને ગજાવી મૂકતે તે સ્નેહથી સાંદ્ર થયેલા મનથી તુરતજ એક જન સુધી તેની સામે ગયો, ૩૫૮ જેમ કામદેવ વસંત તથા ચૈત્ર માસને મળે તેમ, જગન્માન્ય, સજનને આનંદ ઉપજાવનારો અને લક્ષ્મીને પ્રીતિપાત્ર તે સમરસિંહ પોતાના બને ભાઈઓને મળ્યો. ૩૫૯ તેણે પોતાના બન્ને ભાઈઓને ભેટી પડી તેઓને પ્રણામ કર્યા, ત્યારે લોકો તેની મહત્તા તથા ભક્તિ જોઈને આશ્ચર્ય પામ્યાં. ૩૬૦ બીજી તરફથી સમરસિંહના બન્ને ભાઈઓએ પણ તેને આલિંગન આપીને આવા આશીર્વાદ આપ્યો કે, હે ભાઈ ! દીર્ધકાળ પર્યત સંધપતિપણાનું તું પાલન કર. ૩૬ ૧ તે પછી સ્તંભ તીર્થના સંધમાં જે ઘણા આચાર્યો હતા તેઓના ચરણમાં ભક્તિનમ્ર એવા સમરસિંહે વંદન કર્યું. વળી એ સંધમાં મંત્રીશ્વર પાતાક તથા સાંગણ-એ બને જ શ્રીસ્તંભતીર્થ નગરથી આવ્યા હતા, ૩૬૩ તેમજ પોતાના વંશક્રમથી પ્રાપ્ત થયેલા સંઘેશપણાને ધારણ કરનાર સંધના ભૂષણરૂપ લાલા નામને સંધપતિ તેમાં હતો. ઉત્તમ ભાવને લીધે વીતરાગને પણ જેણે પ્રસન્ન કર્યા છે
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org