________________
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
સહિત ઈન્દ્ર હોય તેમ સમરસિંહ સહિત પ્રતિકારૂપ મહાકાર્ય કરવા સજજ થઈ લાપશી કરીને મોટા ઉત્સવપૂર્વક તે મહાપર્વતની પૂજા કરી. ૩૪૨–૩૪૩ તે પછી દેશલ પિતાની અનિમેષ દૃષ્ટિથી શત્રજય પર્વત સામે જ્યારે જતો હતો ત્યારે પિતાનાં નેત્રનાં કિરણોથી તેને જાણે આકર્ષી રહ્યા હોય તેવો ભાસતો હતો. ૩૪૪ તે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલ અને સમરસિંહે અગણિત ચાચકોને મહાદાનો આપ્યાં. ૩૪૫
પછી બીજે દિવસે તીર્થના દર્શનની ઉત્કંઠાથી ત્યાંથી વેગપૂર્વક પ્રયાણ કરીને શત્રુજ્યની તળેટીમાં તે જઈ પહોંચ્યો. ૩૬ ત્યાં પર્વતની પડોશમાં જ લલિતાદેવીએ બંધાવેલાં સરેવરને કાંઠે સમરસિંહ સંધ માટે અનેક પ્રકારના તંબુઓ બંધાવી દીધા. ૩૪૭ આગળ મોટા વાંસની ઝાડીને ધારણ કરનાર આ મહાપર્વત પડેલો છે અને તેની પાસે રાજાની પેઠે દેવાલય શોભે છે. (૨) ૩૪ ૮ મેટા પર્વત કે જેમાં વાંસના ઝાડની ઘટા શેભી રહી છે તે સંધપતિ દેશલના નિવાસને માટે થયા. ૩૪૯ તે સંઘની ચારે બાજુ વાંસની લતાઓને બનેલ દુર્ગ-કિર્લો હતો. જાણે કે સમરસિંહે પાપરૂપી વૈરીનું નિવારણ કરવાને તૈયાર કરાવ્યો હોયની ? ૨૫૦ સંઘપતિ દેશલની અશ્વશાળામાં જાણે પ્રત્યક્ષ રેવન્ત હોય તેવા ઉત્તમ તેજવાળા અને મેટા વેગવાળા ઉત્તમ જાતિના ઘોડાઓ બાંધવામાં આવ્યા હતા. ૩૫૧ સંઘમાં સર્વત્ર ઉજજવળ તંબુઓ બાંધવામાં આવ્યા હતા તે પાતાલમાંથી નીકળેલાં નાગેલેકનાં આવાસગ્રહની પેઠે શોભતા હતા. ૩૫ ૨
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન.
જેટલામાં દેશલ વિમલાચળ પર્વત ઉપર હજી ચડ્યો નહતો * આ શ્લોકનો અર્થ બરાબર સ્પષ્ટ સમજાતું નથી.
(૧૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org