SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘનું પ્રયાણ જ્યાં સુધી સ્થાને પહોંચ્યાં ન હોય ત્યાં સુધી એક બીજાને મળતા ન હતા.૩૨૦ વળી માર્ગમાં કોઈ મોટું તળાવ આવતું હોય ત્યાં પણ જે લોકે સૌથી આગળ પહોંચ્યાં હોય તેઓ સ્વચ્છ પાણી પીતા હતા, જેઓ તેના પછી પહોંચ્યા હોય તેઓ ડહોળાયેલું પાણી પીતા હતા અને જેઓ સૈથી પાછળ પહોંચતા હતાં તેઓ લગભગ કાદવવાળું જ પાણી પીતા હતા.૩૧ દરેક ગામ ગામના આગેવાનો સંઘપતિ સમરસિંહને આવેલે જઈ તેની આગળ દહીં દૂધ-વગેરે પુષ્કળ પદાર્થો હાજર કરતા હતા.૩૨૨ તેમજ ગામડે ગામડે ધાર્મિક મનુષ્યોનાં ટોળેટોળાં અત્યંત સ્પર્ધાપૂર્વક આવીને હર્ષથી દેશલના ચરણયુગલનું પૂજન કરતા હતા. ર૩ સંધની એ સેનામાં પણ કોઈક ગાડા વાળાઓ બીજાઓની સ્પર્ધા કરીને પોતાના બળદોને એવા આગળ ચલાવતા હતા કે જેથી તેઓ પોતાની પાસે પડતા પિતાના નાયકને પણ ગણતા નહિ.૩૨૪ કેટલાએક ગાડાં હાંકનારાઓમાં પિોતાના ગાડાને સૌથી આગળ લઈ જવા માટે જ્યારે વિવાદ થવા લાગે, ત્યારે તેઓના ગાડાંમાંથી પડી ગયેલી ખીલીઓ પગમાં લાગવાથી પાસે ચાલનારાં માણસો, તેઓના એ વિવાદને સહન કરી શકતા નહિ. ૩૨૫ જે વખતે સંઘ રાત્રિના સમયે મુસાફરી કરતા હતા, ત્યારે દીવીઓ હાથમાં રાખીને અસંખ્ય પુરુષો તેની પાસે પાસે ચાલતા હતા, જેથી દીપોત્સવના જેવો દેખાવ થતા હતા. ર૬ જ્યારે દેવાલયમાં લેકે હમેશાં નાટકાદિ પ્રેક્ષણના સમયે સ્થિર દષ્ટિથી જતાં હતાં, ત્યારે નૃત્ય કરનારા દેવોની પેઠે શોભતા હતા.૩૨૭ એ સમયે દેશલે સદાને માટે સાર્વજનિક અન્નસત્ર ખુલ્લા મૂક્યાં હતાં અને ભોજનના સમયે ઉચ્ચ સ્વરે કહેવામાં આવતું હતું કે જે કોઈ મનુષ્ય ભૂખ્યો હોય તેણે આવીને ભોજન કરી જવું ૩૨૮ એ રીતે નિરંતર સંધનાં પ્રયાણ થતાં હતાં ત્યારે સંઘપતિ દેશલ, શ્રી શેરીસા ( ૧૫ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy