________________
સંઘમાં આચાર્ય અને મુનિએ
તે પછી સર્વ શ્રાવકે, બધી સામગ્રી તૈયાર કરીને સમરના ગુણથી જાણે આકર્ષાયા હોય તેમ, પિતાપિતાને સ્થાનકેથી નીકળીને સત્વર ત્યાં આવી પહોંચ્યા. ૨૬
સંઘમાં આચાર્ય અને મુનિએ શ્રીમાન વિનયચંદ્ર નામના આચાર્ય, જેઓ સર્વ સિદ્ધાંતરૂપ અગાધ મહાસાગરમાં નૌકા સમાન હતા, તેઓ પણ યાત્રાને માટે નીકળ્યા. ૨૭૭ શ્રીરત્નાકરસૂરિ, જેઓ મહદ્દગછરૂપી આકાશમાં ચંદ્ર સમાન હતા અને સુંદર ચારિત્રને ધારણ કરનારા હતા તેઓ પણ સંઘની સાથે ચાલી નીકળ્યા. ર૭૮ શ્રીપચંદ્ર નામના સુરિ, જેઓ સર્વત્ર પ્રતિષ્ઠા પામ્યા હતા અને શ્રીદેવસૂરિગચ્છના હતા તેઓ પણ સંઘની સાથે યાત્રા માટે નીકળ્યા. ૨૭૯ શ્રીખંડેરગચ્છના શ્રીમાન સુમતિસૂરિ પણ જિનદર્શનની ઉત્કટ ઇચ્છાથી શાંત ચિત્તે ચાલી નીકળ્યા.૨૮૦ ભાવડારકગચ્છની લક્ષ્મીના મુખ ઉપર તિલક સમાન શ્રીવીરસૂરિ પણ પ્રસન્ન ચિત્ત ચાત્રા કરવા માટે ચાલ્યા.૮૧ શ્રીસ્થારાપદ્રગચ્છના શ્રી સર્વદેવસૂરિ તથા શ્રી બ્રહ્માણગચ્છના શ્રીમાન જગતસૂરિ પણ યાત્રા માટે ચાલતા થયા. ૨૮ શ્રીમાન નિવૃત્તિગચ્છના આભ્રદેવસૂરિ, જેમણે યાત્રાનો રાસ કરે છે તેઓ પણ તે સમયે યાત્રા કરવા નીકળ્યા. ૨૮૩ શ્રીનાગચ્છરૂ૫ ગગનમંડળને સૂર્યની પેઠે શોભાવનારા સિદ્ધસેન આચાર્ય પણ દેશલની સાથે ચાલતા થયા. ૨૮૪ બૃહદ્ગછમાં ઉપન્ન થયેલા ધર્મષસૂરિ પણ યાત્રાના આનંદથી છલકાતા હૃદયે નીકળી પડ્યા. ૨૫ શ્રીમન્નાગેન્દ્ર ગચ્છના શ્રીપ્રભાનંદસૂરિ જેમનું બીજું નામ રાજગુરુ હતું તેઓ પણ સંધ સાથે ચાલતા થયા. ૨૮ અને શ્રી હિમાચાર્યની પરંપરાને પાવન કરનારા શ્રીવાસેનસૂરિ જેમની ભાવના શુદ્ધ હતી તેઓ પણ યાત્રા કરવા નીકળ્યા. ૨૮૭ આ
( ૧
).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org