________________
પ્રસ્તાવ ૪
મનુષ્યની ઉચ્ચ પદે સ્થિતિ થતી નથી ? ૨૨ સંધથી વીંટાયેલો દેશલ પણ તે વેળા પાલખી ઉપર બેસીને દેવાલયની આગળ ચાલતે હતા અને સંધને નાયક બને હતો. ૨૬૩ સમરસિંહ પણ ઘોડેસ્વારાથી વીંટાઇને ઘોડેસ્વાર થયો હતો અને ઉચ્ચશ્રવા ઉપર બેઠેલા ઈન્દ્રની પેઠે અદ્દભુત શોભાવાળા થઈ આગળ ચાલતો હતો. ૨૬૪ એ વખતે મહાભેરી નામના વાદિના ઉગ્ર શબ્દો થઈ રહ્યા હતા, તેમજ કાલાંના ધ્વનિઓ સંભળાતા હતા, જેથી ભયથી ત્રાસ પામેલે કલિકાળ ત્યાંથી બીજે સ્થલે ચાલ્યો ગયે હોય તેમ લાગતું હતું ૨૬૫ વળી બીજા પણ ગંભીર શબ્દ કરનારાં અસંખ્ય વાદિ વાગતાં હતાં, જેથી લેકે માનતાં હતાં કે, સત્યયુગનો પ્રવેશોત્સવ શું થઈ રહ્યા છે ! ! ૨૬૬ અરે! કેટલાએક અનાર્ય મનુષ્યો પણ જેઓ અમંગળભાવવાળા હતા તેઓ એ ઉત્સવ જઇને ધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને ભકિકભાવને પ્રાપ્ત થયા. ૨૬૭ લોકના કોલાહલથી ઉડેલાં પક્ષીઓ પણ આકાશમાં ઉંચે જઈ તે પ્રસ્થાનમહોત્સવને જઈ રહ્યાં હતાં. ૨૬૮ અને તિર્યંચ પ્રાણીઓ પણ તે વખતનાં મંગળગીતને સાંભળીને શાંતિપૂર્વક જણે નૃત્ય કરતાં અને પ્રસન્ન થયાં હોય તેમ તે ઉત્સવને જોઈ રહ્યા હતા એ રીતે પગલે પગલે વંદન કરાતું તથા ઘેર ઘેર પૂજતું એ દેવાલય, પહેલે દિવસે શંખારિકા સુધી ગયું અને ત્યાં દેવાલયે તથા સંઘપતિ દેશલે સ્થિતિ કરી એટલે સમરસિંહ સંઘની સાથે ફરી પાટણમાં ગયે. ૨૭૦-૨૭૧ ત્યાં જઈને સંધની સાથે તે પૌષધશાળામાં ગયો અને યાત્રા માટે સર્વ આચાર્ય મહારાજેને ક્ષમાશ્રમણ આપીને પ્રાર્થના કરી તેમજ શ્રાવકને પણ સંધસહિત તેઓને ઘેર જઈને આદરપૂર્વક પ્રાર્થના કરી; વળી કેટલાએક જેઓ ઉત્સવને માટે ઉત્સુક હતા અને યાત્રાના રસના આનંદને ધારણ કરનારા હતા તેઓને પણ તેણે બોલાવ્યા.૨૭૨-૨૭૫
( ૧૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org