SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૪ ૨૧૫ પછી અત્યંત ગુણવાળા કેટલાએક આચાર્યોને તથા તિષ શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણને એકઠા કરવામાં આવ્યા, કે જેથી મુહૂર્તની બરાબર શુદ્ધિ જોવામાં આવે. ૨૧૬ પછી સાધુ દેશલે ઉત્તમ દિવસે તથા શ્રેષ્ઠ મુદતે મુખ્ય આચાર્યોને તથા બીજા તિષી. એને પણ બોલાવ્યા અને શ્રેષ્ઠ એવા સર્વ શ્રાવકને પણ બોલાવીને તેઓની એક સભા ભરી તથા અનાકુળ થઈ સર્વને ઉચ્ચ આસને બેસાડવા. ૨૧૭-૨૧૮ પછી ઉભું થઈ બે હાથ જોડીને દેશલે - તિવેત્તાઓમાં શ્રેષ્ઠ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે, હે પ્રભો ! કોઈ શુભ મુહૂર્ત શેધી આપે. ૨૧૯ આ સાંભળી તે સર્વ શાસ્ત્રવેત્તાઓ વારંવાર માંહોમાંહે અનુવાદ કરવા લાગ્યા અને આખરે તેઓએ એક નિર્દોષ મુહૂર્તને નિર્ણય કરી તેને જાહેર કર્યું.૨૨૦ એ લન સર્વને સંમત થયું એટલે દેશલે એક મુખ્ય તિષ શાસ્ત્રી પાસે તુરતજ લગ્નપત્રિકા લખાવી. ૨૨૧ જે લગ્નપત્રિકા કંકુના છાંટણાંથી છંટકાયેલી હોઈને સાધુ દેશલના ધર્માનુરાગરૂપી સમુદ્રના તરંગેની છોળોથી જાણે છંટકાઈ હોય તેવી શોભતી હતી. ૨૨ જ્યોતિષશાસ્ત્રીએ તે લગ્નપત્રિકા કલ્યાણરૂપ નિધિના લાભ માટે જાણે એક સિક્કો હોય તેમ સાધુ દેશલના હાથમાં અર્પણ કરી.૨૨૩ તે પછી સાધુ સમરે આચાર્ય મહારાજના ચરણ ઉપર ચંદનનું તિલક કરીને તેમના મસ્તકનું પૂરના પરાગથી પૂજન કર્યું અને તેમને વંદન કર્યું.૨૨૪ તેમજ બીજા પોતિર્વેત્તાઓના લલાટમાં કાલાગના તિલક કરીને તેઓને ઉત્તમ વસે, દ્રવ્ય તથા પાનબીડાં અર્પણ કરી સન્માન આપ્યું. ૨૫ શ્રાવકાને ચંદનના તિલક અને કુસુમાદિથી વિભૂષિત કરી તથા કપૂર સહિત પાનના બીડા આપી સંતુષ્ટ કર્યા. તે સમયે સ્તુતિપાઠકે પણ દેસલના યશોગાન ગાવા લાગ્યા ને કીર્તિ પાઠ ભણવા લાગ્યા. એ રીતે મુહૂર્ત સંબંધી ( ૧૮૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy