________________
મારે તીર્થને ઉદ્ધાર કર છે અને તેમાં આપની આજ્ઞાની જરૂર છે. તો તમે તીર્થને ધ્વંસ અને સર્જન કરવાથી બ્રહ્મા તુલ્ય થાઓ એમ ઈચ્છું છું.
સમરાસિંહની આ વાત સાંભળી અલપખાન અત્યંત પ્રસન્ન થયો અને બેલ્યો કે, તારું ઈચ્છિત કાર્ય કર. સમરસિંહે કહ્યું કે, જો તમે પ્રસન્ન થયા છે તો મને ફરમાન આપે કે જેથી મારું ધારેલું કાર્ય નિર્વિકન સિદ્ધ થાય. ખાને ફરમાન આપવા માટે બહેરામ મલિકને આજ્ઞા કરી અને કહ્યું કે સમરસિંહ મને પ્રાણથી પણુ પ્રિય છે. બહેરામ મલિકે ફરમાન લખ્યું અને તેને લઈને તે સમરસિંહની સાથે અલપખાનની પાસે આવ્યા.ખાને ફરમાન હાથમાં લઈ વાંચી મલિક બહિરામને હુકમ કર્યો કે, સ્વર્ણની બનાવેલી અને મણિ મુકતાફળ જડેલી શિરસ્ત્રાણ સહિત તરીશ ખજાનામાંથી લા. મલિક બહિરામે સરીફ લાવીને અલપખાનને આપી, ખાને તે સમરસિંહને આપી, અને પછી ફરમાન આપીને કહ્યું કે, હવે તારું ઈષ્ટ કાર્ય સિદ્ધ કર. સમરસિહે ખાનને પ્રણામ કર્યા અને તે શિરસ્ત્રાણુ (પાઘડી) સહિત તસરીફા પહેરી અલપખાને મંગાવેલા ઉત્તમ અશ્વ ઉપર બેઠે. સમરસિંહ ફરમાન લઈ બહિરામ મલિકની સાથે પિતાને ઘેર આવ્યું. અને વિવિધ પ્રકારનાં ભેટણ વડે બહિરામ મલિકને સંતુષ્ટ કર્યો.
ત્યાર પછી સમરસિંહ નગરજન સહિત ગુરુને વંદન કરવા પૌષધશાલામાં ગયો અને ગુરુને વંદન કરી ફરમાન પ્રાપ્તિની હકીકત કહી. ગુરુએ કહ્યું- તારું ભાગ્ય ચડીયાતું છે કે મૂર્તિના શ્રેણી ખાને તીર્થોદારની અનુજ્ઞા આપી.” સમરસિહે ગુરૂને વિનતિ કરી કે, પૂર્વે વસ્તુપાલ મન્ત્રીએ મૂર્તિવિધાન માટે મમ્માણશેલફલહીસંગમરમર પત્થરની શિલા મંગાવેલી છે અને હજી તે યરામાં અક્ષત સ્થાપેલી છે, તેની નવીન પ્રતિમા કરાવું? ગુરુએ કહ્યું કે જે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org