________________
મમ્માણફલહી મન્ત્રીએ આણેલી છે અને તે તેણે સંઘને સમર્પિત કરી છે. માટે ચતુર્વિધ સંઘની અનુમતિ લઈને તેની આદિ જિનની પ્રતિમા કરાવી શકાય.
સમરસિંહે શ્રીઅરિષ્ટનેમિના મંદિરે સર્વ આચાર્યો, શ્રાવકે
અને સંઘના અણુઓને એકઠા કર્યા. અને સંધની અનુમતિ માગવ. સંઘને હાથ જોડીને વિનતિ કરી કે ધર્મ
ના વૈરી સ્વેચ્છાએ કલિકાળના પ્રભાવથી શત્રુંજય તીર્થાધિપતિની પ્રતિમાનો ભંગ કર્યો છે. તીર્થ અને તીર્થનાયકનો ઉચ્છેદ થવાથી શ્રાવકોના સઘળા ધર્મો અસ્ત થશે. તીર્થ નહિ હોય તો: દ્રવ્યસ્તવના અધિકારી શ્રાવકે શી રીતે દ્રવ્યસ્તવનું આરાધન કરશે; માટે સંઘની આજ્ઞા હોય તો હું તીર્થાધિપતિની પ્રતિમા કરાવું . મન્ની વસ્તુપાલે મંમાણખાણુથી લાવેલી ફલહી હજી ભોંયરામાં અક્ષત પડેલી છે અને તેણે તે સંઘને સોંપી છે. જે સંઘની આજ્ઞા હોય તો તેની પ્રતિમા ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી કરાવું ?
આચાર્યો, સંઘપતિઓ અને શ્રાવકોએ સમરસિંહની પ્રશંસા કરી
અને તેણે કહેલી વાતનો વિચાર કરી બોલ્યા કે, સંઘની ઈચ્છા. આ ભયંકર કલિકાલ છે, તેથી મન્નીએ ઘણું
દ્રવ્યના વ્યયથી લાવેલી મંમાણુફલહી સંઘને સમર્પિત કરેલી છે, તેને બહાર કાઢવાનો અત્યારે સમય નથી, તે ભલે એમને એમ રહે. તમે આરાસણુની ખાણથી બીજી ફલહી મંગાવી તેની નવીન પ્રતિમા કરાવે એમ સંઘ ઈચછે છે.
સમરસિહ સંઘના આદેશને માથે ચડાવી પોતાને ઘેર ગયો અને પિતાના પિતા દેશલશાહને બધે વૃત્તાંત કહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org