SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દેશલ શાહે ઘેર જઈ પોતાના પુત્ર સમરસિંહને તીર્થોદ્ધારની વાત કહી અને તે પણ પિતાનું વચન સાંભળી સમરસિંહની નીમણુંક. અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાને વિનતિ કરી કે મને તીર્થોદ્ધારનું કાર્ય કરવાનો આદેશ કરે. દેશલે પોતાના પુત્ર સમરસિંહને કાર્યદક્ષ અને ભાગ્યશાળી જાણીને તે કામમાં તેની નિમણુંક કરી, હવે સમરસિંહ પોતાના પિતાના દેશથી તીર્થોદ્ધારના કાર્યમાં અત્યંત સાવધાન થયું અને પ્રથમ તેણે સિદ્ધસેનસૂરિની પાસે જઈને અભિગ્રહ ધારણ કર્યો“જ્યાં સુધી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર પૂર્ણ ન કરું ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, દિવસમાં બે વખત નહિ ખાઉં, ખદિલ, તેલ અને પાણી એત્રણે વસ્તુથી સ્નાન નહિ કરું, એક વિકૃતિ (વિગઈ) ખાઇશ અને પૃથ્વી ઉપર સુઈશ.” આ પ્રમાણે ગુરૂ પાસે અભિગ્રહ ગ્રહણ કરી સમરસિંહ પિતાની પાસે આવ્યો. આવીને તેણે પિતાને વિસતિ ફરમાનની પ્રાપ્તિ કરી કે, હે તાત, આપ આજ્ઞા કરે તો અલપ ખાનને સંતોષ પમાડીને તીર્થના ઉદ્ધારને માટે ફરમાન મેળવું. દેસલે તેને તેમ કરવા કહ્યું, તેથી સમરસિંહ મણિ, મુકતા, સુવર્ણ, વસ્ત્ર અને આભરણાદિ વગેરે ઉત્તમ વસ્તુઓનું ભેટયું લઈ અલપખાન પાસે ગયો. ખાન તેને જોઈને અંત્યંત ખુશ થયો. હાથ ઉંચે કરીને “ભાઈ ! આવ” એમ ઉચ્ચ સ્વરે કહ્યું. સમરસિહે તેની પાસે જઈને પ્રણામ કરી ભેણું મૂક્યું. તે જોઈ ખાન આનંદ પામે અને આવવાનું કારણ તેને પૂછ્યું. સમરસિંહે કહ્યું કે, તમારા સેન્ચે અમારા શત્રુંજય તીર્થને ભંગ કર્યો છે, અને અમારી યાત્રા બંધ પડી છે. તીર્થ હોય તે તમામ હિન્દુઓ યાત્રાએ જાય અને ધર્મ નિમિત્તે ધનને સદ્વ્યય કરે, દીન અને દુઃખી મનુષ્યોને જમાડે. અને તીર્થ સિવાય એ બધાં ધાર્મિક કૃત્યો અટકી પડયાં છે. માટે ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy