________________
પ્રસ્તાવ ૪
પ્રસન્ન કર્યા.૪૬ તેમજ બo તરફથી મહત્સવ ચાલુ કરીને સમરસિંહના સેવકોએ, યાચકને ઈષ્ઠિત દાન પણ આપ્યા છે. ઉપરાંત રોગીઓ તથા રખડતાં ભીખારૂ વગેરેને માટે બીજા ચિંતામણિ સમાન સાર્વજનિક સંત્રાલયે (અન્નસત્રો) પણું તેઓએ ખુલ્લો મૂકયાં ૮ એ રીતે સર્વ સમારંભે શરૂ કરાવ્યા પછી પિતાના મંત્રીને ત્યાં રાખીને શ્રીમાન મહીપાલદેવ ત્રિસંગમનગરમાં પાછો આવ્યો. ૪૯ મહિપાલદેવ અને સમરસિંહ હમેશાં મોકલેલા માણસોના જવાઆવવાથી ખબર જાણતા હતા અને કામની સૂચના પણ મેક્લતા હતાં.
બીજી તરફથી કારીગરેએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક ખાણ ખોદવાને આરંભ કર્યો જેથી અલ્પ દિવસમાં જ તેઓએ એક શિલાની પાટ બહાર કાઢી.પ૧ પાણીથી ભીની કરીને એ શિલાની પાટને તેઓએ જોઈ ત્યારે તેના મધ્ય વિભાગમાંજ એક સીધી ફાટ તેઓના જોવામાં આવી, –શિલાને વચ્ચેથી જ તેઓએ ચીરાયલી જોઈ.૫૨ આ વાત સમરસિંહના જાણવામાં આવી એટલે તેણે (સમાચાર કહેવા માટે) પિતાની પાસે આવેલા માણસો દ્વારા કહેવરાવ્યું કે બીજી નવી શિલા કઢાવો. ૫૩ સમરસિંહના એ કહેવા પ્રમાણે કારીગરાએ ફરીથી એકદમ ઝડપથી શિલા કાઢવાનો આરંભ કર્યો, પણું ઘણીજ ઉતાવળ કરવાથી પાછી બીજી શિલા પણ બે કકડાના રૂપમાં જ બહાર આવી. તે જોઈ રાણુના મંત્રી તથા સમરસિંહના સેવકે ખિન્ન થયા અને અઠ્ઠમ તપ કરવાનો નિશ્ચય કરી દર્ભના આસન ઉપર સંથારો કર્યો.૫૫ તે પછી ત્રીજી રાત્રે શાસનદેવતા તથા કમ્પદ યક્ષ પ્રકટ થઈને મંત્રીને કહેવા લાગ્યાં કે, હે મંત્રીશ્વર! તું સર્વ શ્રાવોમાં શિરોમણિ છે અને જૈનધર્મનો જાણકાર છે, છતાં તે આવું અજ્ઞાનીના જેવું આચરણ કેમ કર્યું ? અમે બંને તારાં સાધર્મિક છીએ, છતાં તેં અમારું સ્મરણ પણ કર્યું નહિ અને આ કાર્યને આરંભ કર્યો; આમ કરવું
( ૧૭૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org