________________
બિંબ માટે ફલહી મંગાવવી
થઈ હોય તેમ મનમાં હર્ષ પામીને આ પ્રમાણે કહ્યું –૩૫ “ખરેખર આ સમરસિંહને ધન્ય છે અને તેને જન્મ પણ સફળ છે. કેમકે આ કળિકાળમાં પણ તેની બુદ્ધિ સત્યયુગને અનુસરનારી છે. તેમજ મને પિતાને પણ ધન્ય છે, કે જેના તાબામાં આરાસણ પત્થરની ખાણ છે. જે આ ખાણ મારા તાબામાં ન હતી તે આવા પ્રસંગે મારું સ્મરણ પણ કેણ કરત ? હે પાતાક મંત્રી! સાધુ સમરસિંહ તરફથી આવેલી આ ભેટને તમે પાછી આપી દે. કેમકે આવા ધાર્મિક કાર્યમાં આપણુથી ધન કેમ લેવાય ૩૮ ધર્મનું તે ધન, પરિવાર તથા જીવિત સુદ્ધાં અર્પણ કરીને પણ ઉપાર્જન કરવામાં આવે છે, તેજ ધર્મને માત્ર આવી ભેટથી આપણે વ્યર્થ કેમ ગુમાવે જોઈએ ? ૨૯ આપણી ખાણમાંથી પ્રતિમા માટે પાટે ગ્રહણ કરનાર પાસેથી જે રાજાને કર લેવાય છે પરંતુ હવે એ કરને પણ હું ત્યાગ કરું છું. એટલું જ નહિ પણ આ કાર્ય કરવામાં જે કંઈ જોઈએ તે સર્વમાં હું પોતે સહાય કરીશ અને તેથી આ કાર્યને પુણ્ય ભાગ મને પણ પ્રાપ્ત થશે.”૪૧ એમ કહી તે રાજા સમરસિંહના માણસને તથા પાતાક મંત્રીને સાથે લઈ આરાસણની ખાણ ઉપર ગયો. ત્યાં જઈને તેણે આરાસણની પાટે કાઢનારા સર્વ કારીગરોને પોતાની પાસે બોલાવ્યા અને સન્માનપૂર્વક પ્રતિમા માટે શિલા કઢાવવાના મૂલ્યની આંકણું કરાવી. તે વેળા કારીગરેએ પિતાની ઈચ્છાનુસાર જે દ્રવ્યની માગણી કરી તેના કરતાં પણ અધિક દ્રવ્ય આપવાની મહીપાલ રાજાએ ખુશી બતાવી.૪૪ તે પછી શુભ વારે, શુભ મુહૂર્તો અને શુભ નક્ષત્રે મહીપાલ રાજાએ ખાણની પ્રથમ પૂજા કરીને બિંબ માટેની શિલા કઢાવવાને જ કર્યો.૪૫ તે વખતે સમરસિંહના માણસોએ પણ ભોજન, સુવર્ણના એલ કારે, વસ્ત્ર તથા તાંબલ (પાન બીડાં) વગેરે આપીને કારીગરોને
( ૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org