SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અલપખાન પાસેથી તીર્થોદ્ધારનું ફરમાન મેળવ્યું પછી શ્રીસમરસિંહે મણિ, મોતી, સુવર્ણ વસ્ત્ર તથા અલંકાર આદિ પુષ્કળ ભેટ લઈને તેમજ બીજી અનેક વસ્તુઓ સાથે લઇને ગૂર્જરભૂમિના અધિપતિ અલપખાનની શુભ દિવસે મુલાકાત લીધી. ૨૭૪–૨૭૪ રાજા અલપખાન સમરસિંહને પોતાની પાસે આવેલ જોઈ અત્યંત આનંદ પામે; અથવા તેવી વસ્તુઓ પિતાની પાસે આવે છે કાણુ આનંદ ન પામે! ૨૫ તેણે હર્ષથી હાથ ઊંચો કરીને ઉચ્ચ સ્વરે કહ્યું કે, આવ, ભાઈ! આવ; તું સત્વરે અહીં મારી પાસે આવ.” ૨૭૬ પોતાના સ્વામીને એ હર્ષ જેઈને તથા તેવા પ્રકારે પિતાને આદર સત્કાર થયેલે જોઈને સાધુ સમરસિંહે પિતાની કાર્યસિદ્ધિનું તેને શકુન માન્યું. ૨૭૭ અને તુરતજ પોતે આણેલી બધી ભેટે તેને નિવેદન કરી. ૨૭૮ તે ભેટ જોઈને અલપખાન અત્યંત પ્રસન્ન થયું. તેણે કહ્યું કે, અહ! આજે તો તેં મને પુષ્કળ ભેટ ધરી છે. તે નિત્ય મારી આજ્ઞા પાળનારે હોવાથી મને ઘણું જ પ્રિય છે, અને તને અહીં આવવા માટે કદી પણ મનાઈ કરવામાં આવતી નથી; તો હે મિત્ર! આ સમયે તારે આવવાનું કારણ શું છે તે મને કહે. ૨૦~૨૮૦ પછી સમરસિંહે પ્રણામ કરીને કહ્યું કે, હે પ્રભુ! જે તમે પ્રસન્ન થયા છે અને મારું માગેલું જે તમે આપે તો મારે મારું મનવાંછિત કંઈક માગવું છે.” ૨૮૧ ત્યારે સુબો બેલ્યો-હે સમર ! તારા કરતા મારે પુત્ર પણ મને પ્રિય નથી. માટે તારી ઈચ્છા હોય તે તું માગી લે, તેમાં વિચાર કર મા.” ૨૮૨ પછી સાધુશ્રેષ્ઠ સમરસિંહે વિનતિ કરી કે, હે સ્વામિન ! હાલમાં શત્રુંજય પર્વત ઉપરના તીર્થોને તમારાં સભ્યોએ નાશ કર્યો છે. આ તીર્થ જે હયાતીમાં હોય તે સમગ્ર હિંદુ ધર્મનિમિત્તે ત્યાંની યાત્રા કરે છે અને પિતાના ધનને તે સ્થળે ઉપયોગ કરે છે. ૨૮૩૮૪ વળી તમારી હિંદુ પ્રજા ( ૧૬ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy