________________
પ્રસ્તાવ ૩
૨૦
આજ્ઞા આપે. એટલે હું સાવધાન થઇને અ તીર્થોદારના કૃત્યને સિદ્ધ કરી આયું. પુત્ર તેા એજ કહેવાય કે જે કાર્યરૂપ ગાડામાં જોડાઈ ને તેની ઝુંસરીને ઉપાડી લે અને પેાતાના પિતાને એક સારથિરૂપે બનાવી તેના કાર્યભારને પાર પહાંચાડે, ૨૬૧ તે પછી દેશલે સિદ્ધ સમાન પરાક્રમી તે સમરસિંહ પુત્રને ભાગ્યવાન જાણીને તે કાર્યમાં જોડ્યો. ૨૬૨ એટલે સમરસિંહુ પણ પિતાની આજ્ઞા સંપાદન કરીને સાવધાન મનથી ગુરુ શ્રીસિદ્ધસૂરિ પાસે ગયા અને ત્યાં તેમના ચરણમાં નમન કરી તેણે આ પ્રમાણે કહ્યું. ર૬ હે પ્રભુ ! જેથી મારી કા સિદ્ધિ તત્કાળ થાય તેવા કાઇ ઉપાય મારા પર કૃપા કરીને તમે અતાવા,૨૬૪ ત્યારે ગુરુએ પણ કહ્યું કે, જ્યાંસુધી આ કાર્ય તારાથી પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે અમુક અભિગ્રહારૂપ બંધનથી બંધાયલા રહેવું. તે સાંભળી સાધુ સમરે ગૃહાવેશના લેશથી બુદ્ધિને અલગ કરીને ગુરુ આગળ આવા અભિગ્રહેા ગ્રહણ કર્યા.૨૬૫-૨૬૬ ૯ જ્યાંસુધી શત્રુંજયના ઉદ્ઘાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ, દિવસમાં બે વખત ભાજન કરીશ નહિ. ખેળ, તેલ, અને જળઆ ત્રણ વસ્તુ એકત્ર કરીને સ્નાન કરીશ નહિ, કેવળ એકજ વિકૃતિ ગ્રહણ કરીશ અને પૃથ્વી પર શયન કરીશ. ’૨૬૭૨૬૮ આવા અભિગ્રહા ગ્રહણ કરીને સાધુ સમરસિંહ જિનમંદિરમાં આવ્યે અને ત્યાં તેના પિતાને તેણે આ પ્રમાણે કહ્યું: ૨૬૯ “ હે તાત ! શ્રીમાન સુબા અલપખાનને પ્રસન્ન કરી હું આ તીર્થના ઉદ્ધાર ફરવા માટે તેમની પાસેથી આજ્ઞાપત્ર મેળવી લઉ. ૨૭૦ માટે તમે આજ્ઞા કરા, એટલે શ્રેષ્ઠ ભેટણાં મૂકી હું તેમને પ્રસન્ન કરું. કેમકે કાઇપણ કાર્યંસિદ્ધિમાં રાજાની કૃપા એ મુખ્ય કારણુ છે. ”૨૭૧ તે સાંભળી એના પિતાએ કહ્યું: “ હે પુત્ર ! પરિણુામે શુભ થાય તેવું તને જે કંઇ રુચે તે તું કર. કેમકે, સકા'માં મેં તનેજ પ્રમાણ કર્યાં છે. ”૨૭૨
( ૧૬૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org