SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩. કારીગરને બોલાવ્યા એટલે તે પણ તુરત શત્રુંજય પર્વતથી ત્યાં આવ્યો.૨૩૬ એટલે મંત્રીએ તેને પૂછયું કે, હે સૂત્રધાર ! આ દેરાસર જેવું તૈયાર થયું કે તુરતજ તૂટી પડયું તેમાં શું કારણ છે ? ૨૩૬, આના ઉત્તરમાં કારીગરે કહ્યું કે, આપણે બાંધેલા તે દેરાસરને ઘુમટ બાંધવામાં આવ્યું જેથી તેના અંદરના ભાગમાં વાયુ પ્રવેશ કરીને ઘણાજ જેથી ઘેરાયા કરતો હતો અને તેથી જ દેરાસર તૂટી પડેલું છે. ૨૩૭ આ સાંભળી મંત્રીએ કહ્યું – જે એમજ હતું તે પછી ઘુંમટવાળું દેરાસર કેમ બાંધ્યું?” મંત્રીએ તે પ્રશ્ન કર્યો એટલે મહાબુદ્ધિમાન પેલા કારીગરે ઉત્તર આપ્યો કે, “ હે દેવ ! જે ઘુંમટવાળું દેરાસર બાંધવામાં ન આવે તે તેને બંધાવનાર પુરુષનો વંશ અતિ અલ્પ સંતતિવાળો થાય-લગભગ તેને નિશ જાય. ૨૭૮-૨૪°. તે સાંભળી મનને સ્વસ્થ કરી મંત્રી બોલ્યા “ રે ભાઈ! મેક્ષનું કારણ શું સંતતિ છે? (નહિજ) પિતાનું પુણ્ય એજ જીવને સ્વર્ગ કે મેક્ષમાં લઈ જાય છે. માટે જા. ફરીથી મૂળભાગમાંથી જ દેરાસરને મજબુત અને નક્કર તૈયાર કર. અને મારી કીર્તિરૂપ સંતતિને જેમ બને તેમ શાશ્વતી કર. ૨૪૧- ૨૪૨ પેલે કારીગર પણ મંત્રીની એ આજ્ઞા પ્રાપ્ત કરીને શકુંજ્ય પર્વત પર ગયો અને થોડા જ દિવસમાં તેણે મજબૂત અને નક્કર દેરાસર પૂર્ણ કર્યું. ૨૪૩ એ રીતે દેરાસર સંપૂર્ણ તૈયાર થયું એટલે શ્રીમંત મંત્રી વાલ્મટ, પિતાના સ્વામીની રજા લઈ રાજ્યની યાત્રા કરવા ચાલી નીકળ્યો. ૨૪૪ તે વેળા વાદિના ધ્વનિઓથી સમગ્ર દિશાઓને તેણે ગજાવી મૂકી હતી, આચાર્યો વગેરે સંધ તેની સાથે હતા અને તેને દેખાવ બીજા ચક્રવર્તી જે જ જણાત હતા. ૨૪પ ત્યાં જઈને તેણે અખલિત અન્નસ ખુલ્લાં મૂકયાં, મોટા ઉત્સવોને આરંભ કર્યો અને ચત્યની પ્રતિષ્ઠાપૂર્વક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી.૨૪૬ ખરેખર એ મહાતીર્થમાં (૧૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy