________________
શત્રુંજય તીર્થના ઉદ્ધારા
અને એક વર્ષીમાંજ સપૂર્ણ તૈયાર થયેલા તે મંદિરપર કળશ પણ ચઢાવી દીધા. ૨૨૪ એ રીતે કારીગર લેાકાએ તેનાપર કળશ ચઢાવ્યા ત્યારે, તે વધામણી આપવા માટે તેઓએ એક પુરુષને વિજ્ઞપ્તિપુત્ર સાથે વાગ્ભટ પાસે રવાના કર્યાં. ૨૨૫ વાગ્ભટમત્રીએ તે પુરુષદ્વારા આવેલા વિજ્ઞપ્તિપત્રનું સીલ તાડીને તે લેખ વાંચ્યા અને દેરાસરને સંપૂર્ણ તૈયાર થઇ ગયેલું જાણી પોતે અત્યંત પ્રસન્ન થયા. ૨૨૬ તે વખતે મંત્રીનાયક વાગ્ભટે, આનંદથી રામાંચિત થઈને તે લેખ લાવનારના પુરુષને નરદમ સુવર્ણની એક જીભ અર્પણુ કરી. ૨૭ તે પછી વાગી રહેલાં વાદિત્રાના ધ્વનિથી ગગન મંડળ તથા ભૂમડળના મધ્ય પ્રદેશને ભરી દેનારા મહાત્સવ ચાલુ થયા, ૨૨૮ એટલે તેજ સમયે બીજો એક પત્ર લાવનારા પુરુષ. શત્રુંજય પર્વતથી એક લેખ લખતે ત્યાં આવ્યા અને મંત્રીએ પેાતે જ એ લેખને વાંચ્યા. ૨૨૯ તેમાં આ પ્રમાણે લખ્યું હતુંઃ—“હે મંત્રિન્ ! દેરાસર, જેવું તૈયાર થયું કે તુરતજ પાછું મૂળમાંથી તૂટી પડવું છે.” ૨૭૦ આ જાણીને મંત્રીને તેા ઉલટા ખમણા આનંદ થયા, ત્યારે ખેદ પામેલા સમગ્ર સભાના લોકેાએ મંત્રીને કહ્યું કે, ૨૩૧ હું મંત્રિન! આ ખેદ કરવાના સમયે તમને બમણા હર્ષ થયા, તેનું શું કારણ ? ત્યારે મંત્રીએ શુંઃ—‘મારા જીવતાંજ આવું બન્યું તેથી મને હર્ષ થાય છે. કેમકે મારા મરણ પછી જો આ દેરાસર તૂટી પડયું હત તેા તેને કાણુ કરાવત ? પુછુ મારાં જીવતાં તે પડી ગયું છે, તેથી હું તે ફરીથી બંધાવીશ. ૨૩૨-૨૩૩ મંત્રીના એ વિચાર સાંભળી સર્વ સભાસદે તા તિજ થઇ ગયા. તે પેાતાનાં મસ્તક ધૃણાવતા માંહેામાંહે કહેવા લાગ્યા ૩,૨૩૪ અહા! ધન્ય છે આ મંત્રીશ્વરને ! કે જેની મુદ્ધિ આવા ઉલ્લાસવાળી છે ! ખરેખર પુણ્યશાળી પુરુષાની બુદ્ધિ પવિત્ર અને દીદષ્ટિવાળી હાય છે.૨૭૫ પછી મંત્રીએ, તે કામ કરનારા મુખ્ય
( ૧૫૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org