________________
પ્રસ્તાવ ૩.
આ વાણીયાના હાથ ધીર થઈને જે.૧૧ આ સાંભળીને જૈત્રસિંહનો ક્રોધ એકદમ વધી પડ્યો, તેનાં નેત્રો લાલચોળ બની ગયાં અને હાથમાં ભાલે લઈ તે મંત્રી સામે દેડ્યો. ૧૯૨ તેજ સમયે મન્ની પણ ઉઘાડી તરવારે તેની સામે દેડ્યો. મંત્રી ઘણજ ચાલાક હતો. તેથી તેણે પોતાની સામે આવતા શત્રુના ભાલાને વચ્ચેથીજ કાપી નાખ્યો. ૧૩ પછી તેઓ બન્ને વચ્ચે તરવાર તરવારથી ઘણીજ ઝડપથી યુદ્ધ શરૂ થયું, તેમાં જૈત્રસિંહના પ્રમાદને લાભ લઈ મંત્રીએ પોતાની તરવારનો પ્રહાર કરીને તેના બે ટુકડા કરી નાખ્યા. ૧૯૪એટલે તુરતજ “મંત્રી જીત્યા, છત્યાં”એવો સ્તુતિપાઠકોનો શબ્દ ઉંચેથી સંભળાવા લાગ્યો, જેથી શત્રુઓનું સૈન્ય તેજક્ષણે નાશી ગયું. ૧૫ મંત્રી ઉદયન પણ શત્રુની તરવારના પ્રહારથી અત્યંત ઘાયલ થયો હતો તે શરીરે અશક્ત થઈને પૃથ્વી પર પડી ગયો. ખરેખર કાલાયસારવાર કેઈને પણ પિતાની થઈ નથી. ૧૯૬ તે સમયે રણસંગ્રામની સર્વ વ્યવસ્થા કરીને બધા મંત્રીઓ તથા સુભટ, ઘોડા ઉપરથી પડેલા મંત્રીની આસપાસ આવી મળ્યા.૧૯તેઓએ, અત્યંત શ્વાસોચ્છાસ લેતા તથા કરુણ શબદે કંઈક કહી રહેલા મંત્રીને કહ્યું કે, હે ભદ્ર! આપને વળી આ કાયરતા શી ? જે સેવક, પિતાના સ્વામીના કામ માટે રણસંગ્રામમાં પ્રાણ ત્યજે છે તે , સૂર્યમંડળને ભેદીને સુખ ભરેલા સ્વર્ગલોકમાં જાય છે. ૧૯૮-- ૧૯૯ વળી તમે તો રણના મોખરામાં રહી પોતાના સ્વામીનું કાર્ય સંપૂર્ણ કર્યું છે, જેથી આ ઠેકાણે આમ વ્યથાકુલ થઈને શેક શા માટે કરો છો ? ૨૦૦ તમને જે આ ઘાવ થયા છે તેને આપણે વૈદ્યો પાસે ઉપચાર કરાવીશું. એટલે તુરતજ તમે નીરોગી થશે, માટે ખેદ કરે મા.” ૨૦ ત્યારે મંત્રી બોલ્ય:-“મૃત્યુ પ્રાણું માત્ર માટે નિશ્ચિત છે, તેમાં વિદ્વાનોને શોક હેયજ શાનો? અને હું તો મારા સ્વામીના કાર્ય માટે મૃત્યુ પામું છું, જેથી મને તે વિશેષ કરીને શોક થાય
(૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org