________________
શત્રુજય તીર્થના ઉદ્ધાર
તે મંત્રીએ ભગવાનને વાંદી અને પર્વત ઉપરથી ઉતરીને શત્રુ સામે તેણે પ્રયાણ કર્યું. ૧૮° તે પછી બન્ને સિને એકત્ર મળ્યાં અને તેઓ વચ્ચે તરવાર તરવારથી બાણ બાણથી મહાન યુદ્ધ શરૂ થયું. ૧૮૧ અનુક્રમે જૈત્રસિંહના સૈન્ય ચોતરફથી અત્યંત ફેલાઈ જઈને મંત્રીને સૈન્યને ભયભીત કરી મૂક્યું, જેથી સર્વ દિશાઓમાં નાશી જવા માટે તે તૈયાર થયું. ૧૮૨ પિતાના સૈન્યને એ પ્રમાણે નાસતું જોઈ મહામંત્રી ઉદયને તેને ધીરજ આપી અને પોતે પણ કવચ પહેરી સજજ થઈને શત્રુઓનો નાશ કરવા માટે યુદ્ધમાં ઉતરી પડયો. ૧૮૩ તે સાહસી મંત્રી, તુરતજ રાજા જૈત્રસિંહ આગળ જઈને ઉભે અને તેને પડકારવા લાગ્યો કે, તારા ઈષ્ટ દેવને યાદ કર અથવા હથિઆર હાથમાં લે. ૧૮૪ હું શ્રી સિદ્ધચક્રવર્તીને હાથી છું અને તારી સામે ચઢી, આવ્યો છું, માટે ચાલ, મારા સ્વામીના ચરણ કમળને શરણે થા.૧૮૫ આ સાંભળી જૈત્રસિંહ પણ બોલ્યા–“વાણુઓનું સાહસ અમારા જાણવામાંજ છે; માટે તું હાથમાં ત્રાજવા લઈ લે અને આ તરવારને છોડી દે, નકામે મૂઢ ન થા. ૧૮ યાદ રાખ કે, જેવી રીતે ચણ ખાઈ શકાય છે તેવી રીતે મરી ખાઈ શકાતાં નથી. જેમ પિતાની સ્ત્રીને મારી શકાય છે તેમ, કોઈ એક સુભટને મારી શકાતું નથી; ૧૮૭ માટે જા, મારી દૃષ્ટિ આગળથી દૂર થા. તારા જેવા વિજાતીય ઉપર મારૂં શસ્ત્ર ક્રોધ કરતું નથી. ૧૮૮ તારે આવો મદ ન કરવો કે, મને મારા સ્વામીએ સેનાને નાયક બનાવ્યું છે. કેમકે કુતરાને સિંહને વેષ ધારણ કસવવામાં આવે તો પણ તે સિંહની ગર્જના કરતો નથી.” ૧૮ આ સાંભળી મંત્રીએ કહ્યું “પિતાને પુરુષાર્થ, શકતથી પ્રકટ થાય છે, નહિ કે બહુ બકવાદ કરવાથી !! સોનું સેળવલું છે કે નહિ, તેની પરીક્ષા કટીના પત્થર ઉપર થઈ શકે છે;૧૦૦તરવારરૂપી ત્રાજવામાં રહેલા ગોળના પિંડરૂપ તારા મસ્તકને તળતા.
( ૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org