________________
પ્રસ્તાવ ૩. કરવા લાગ્યા, જેથી રાજાને પ્રાણની પેઠે પ્રિય થઈ પડે. ૧૬૮ પછી રાજા જયસિંહ રાજ્યની સર્વ ચિંતા તે મંત્રીપર મૂકીને પોતે તો કેવળ રાજ્ય સુખજ ભોગવવા લાગ્યો, અને મંત્રી, રાજકારભાર કરવા લાગ્યો. ૧૬૯ એક સમયે શ્રી સિદ્ધચક્રવર્તી-સિદ્ધરાજે (જયસિંહે) સુરાષ્ટ્ર દેશના પિતાના શત્રુ રાજા જૈત્રસિંહને જિતવા માટે મંત્રીને આજ્ઞા કરી. ૧૭૦ મંત્રી ઉદયન પણ રાજાની આજ્ઞાને હર્ષ પૂર્વક સ્વીકારીને ઘડાઓના ખબખબાટથી પૃથ્વીને ધ્રુજાવી મૂકતે ચાલતા થયો. ૧૭૧ તેણે પિતાના તેજથી તથા ચતુરંગી સેનાએ ઉરાડેલી રજથી આકાશમાં સૂર્યને ઢાંકી દીધે અને ઘણીજ ઝડપથી તે *વર્ધમાનપુર નગરે પહોંચી ગયો. ૧૭૨ ત્યાંથી પોતાના સૈન્યને જૈત્રસિંહની રાજધાની તરફ રવાના કરી દઈ મંત્રી ઉદયન, થોડા પરિવારની સાથે શ્રી શત્રુંજ્ય પર્વત ઉપર ગયે. ૧૭૩ ત્યાં તેણે પવિત્ર બુદ્ધિથી શ્રીતીર્થરાજ ભગવાનને પ્રણામ કરી સ્નાન કરાવ્યું અને શ્રેષ્ઠ પુષ્પ તથા વસ્ત્રાલંકારોથી તેમની પૂજા કરી. ૧૭૪ પછી ગવૈયાઓથી ગવાતા જેનગુણના શ્રવણથી અત્યંત ભકિતયુકત થઈ હાથમાં આરતિ લઈને તે જ્યારે ભગવાનની આગળ ઉભો ત્યારે એક ઉંદર બળતી દીવાની દીવેટને ભગવાનની પાસેથી લઈ જઈને ભીંતમાં પિસી ગયો. આ દશ્ય જોઈને ઉદયને મનમાં વિચાર કર્યો કે, આ કાળના જિનમંદિરમાં આ રીતે કદાચ અગ્નિ લાગે તો ભગવાનની પ્રતિમા પણ જોખમમાં આવી પડે. આવો મનમાં વિચાર કરી તેણે સંકલ્પ કર્યો કે, આ દેવમંદિરને મૂળમાંથી જ પત્થરેવડે ચણાવીને હું જ્યારે સ્થિર કરીશ ત્યારે દિવસમાં બીજી વખત ભોજન લઈશ, અને જ્યારે મારે આ સંકલ્પ પૂર્ણ થશે ત્યારે હું ખેળ, તેલ તથા જળ એ ત્રણ વસ્તુને એકત્ર કરી સ્નાન કરીશ. ૧૭૫–૧૯ આવી પ્રતિજ્ઞા કરીને આ વર્ધમાનપુર તે આજનું વઢવાણ હોવું જોઈએ.
(૧૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org