________________
શત્રુંજય તીર્થના ઉદ્ધારે.
બન્ને સ્ત્રી પુરુષ જિનમંદિરના ઉપરના ભાગ ઉપર ચઢીને પોતાના સેવકાની સાથે નૃત્ય કરતાં હતાં. તેવામાં વ્યંતર દેએ પૂર્વના વૈરથી તેઓને કયાંક ગુમ કરી દીધાં, જેથી ફરી તેઓ જણાયાંજ નથી. (કે કયાં ગયાં ? ) ખરેખર, પૂર્વનું વૈર દુર્યજ –ત્યજવાને અશકય છે. ૧૫૯-૧૬૦
વાગભટને પાંચમો ઉદ્ધાર. હવે, જે પાંચમે ઉદ્ધારક પ્રસિદ્ધ થયો છે, તે વિષે હું કહું છું તે સાંભળ; શ્રીમાન શ્રીમાળ (શ્રીમાળી) વંશમાં પૂર્વે બહિત્ય નામને એક પુરુષ થઈ ગયો છે. તે જહાજની પેઠે સર્વ મનુષ્યોને દરિદ્રતારૂપ સમુદ્રમાંથી તારનારે હતો, તેને પુત્ર આવર હતો, ૧૬૪ તે આક્રેશ્વરને પુત્ર દેહિલ નામને હતો, એ દોહિલને જુજઝનાગ નામને મહાભાગ્યશાળી પુત્ર હતો અને તેને પુત્ર બીજા દેવ જે વીરદેવ નામનો હતો. આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે એ વીરદેવ સાક્ષાત દેવ સમાન હતો છતાં કવિ (શુક્રાચાર્ય અથવા વિદ્વાન) ને દ્વેષી ન હતો અને દાનવશંવદ ન હત.(અર્થાત્ દાનનું કલ્યાણ ઈચ્છનારે ન હત-દાનવોને શત્રુ ન હતા પણ દાનને વશ રહેનારે હતો-મેટે દાતા હતો.) ૧૬૨–૧૬૪ તે વીરદેવને પુત્ર ઉદયન નામને હતો. તેને ભાગ્યરૂપી સૂર્ય જગતમાં ઉદય પામીને પોતાનાં કિરણનો પ્રકાશ સર્વત્ર પાડી રહ્યો હતો. ૧૬૫એ ઉદયનને બે પુત્રે હતા. મેટાનું નામ વાલ્મટ હતું અને નાનાનું નામ આમૃભટ હતું. આ બન્ને પુત્રો સજજનોનું સદા હિત કરનારા હતા. જે તે સમયે આ શ્રીજયસિંહ રાજાએ પોતાની પૃથ્વીરૂપ મંડપના આધાર તરીકે ઉદયનને એક સ્તંભ રૂપે સ્થાપ્યો હતો-અર્થાત્ જયસિંહે ઉદયનને પિતાને મંત્રી બનાવ્યો હતે, કેમકે તે મહાસત્તવાન હતા. ૧૬૭ ઉદયનમંત્રી પણ રાજાના મુખ્ય પ્રધાનપદને પામીને રાજ્યનાં એવા કામ
( ૧૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org