________________
પામ્યા. જેણે કર્ણાટક, પાંડુ અને તિલંગાદિ દેશના રાજાઓને જીતીને વશ કર્યા હતા. સમિયાનક અને જાબાલીપુર(જાલોર)પ્રમુખ નગરને જેણે જીતી લીધા અને ગુજરાતમાં ભમતા ખાપરાને સિન્યને પણ તેણે નસાડી મુક્યું હતું.
તે અલ્લાઉદ્દીન બાદશાહનો પ્રીતિપાત્ર અલપખાન નામે સુબ પાટણમાં રહેતો હતો. દેશળને પુત્ર સમરસિંહ તેની ઉચ્ચ
અધિકારી તરિકે સેવા કરતો હતો. અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈને તેને વિષે બધુના જેવો પ્રેમ રાખતા હતા.
તે વખતે દુષમકાળના પ્રભાવથી દેવગે મ્લેચ્છન્ય શત્રુંજય તીર્થને ભંગ કર્યો અને આદિજિનની પ્રતિમાને તેડી નાંખી. તે સાંભળીને સંઘને વજપાતની જેમ ભારે આઘાત થયો. કેટલાકે તે ભજનો ત્યાગ કર્યો, કેટલાક રુદન કરવા લાગ્યા, એવો કોઈ બાળક, યુવાન કે વૃદ્ધ નહોતો કે જેણે તે વખતે પાણી પણ પીધું હોય. દેસલ આ વાત સાંભળીને મૂછ ખાઈનીચે પડ્યો. જ્યારે શીતપચાર વડે તેને ચૈતન્ય પ્રાપ્ત થયું ત્યારે તે વિલાપ કરવા લાગ્યો. પછી પિષધશાલામાં સિદ્ધસેન સૂરિની પાસે જઈ તેણે તીર્થભંગ સંબંધી બધી હકીકત કહી, સિદ્ધસેનસૂરીએ તેને આશ્વાસન આપી શાંત કર્યો અને દુઃખપૂર્વક કલિકાલનો પ્રભાવ જણાવી ખેદ ન કરવા કહ્યું. સંસારને વિષે કઈ પણ પદાર્થ સ્થિર નથી જ, આવું સંસારનું
સ્વરૂપ છે. તે મનુષ્યો ધન્ય છે કે તીર્થને નાશ ન થાય માટે તેને ઉદ્ધાર કરાવે છે. આ શત્રુંજય તીર્થને વિષે પૂર્વે ઘણું ઉદ્ધાર થયેલા છે. પરંતુ તેમાં પાંચ ઉદ્ધારે પ્રસિદ્ધ છે.
१ ग्रहर्तुक्रियास्थानसंख्ये १३६९ विक्रमवत्सरे जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्नं कलेक्शात् ॥
જિનપ્રભસૂરિવિરચિત શત્રુંજય તીર્થકલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org