SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારથી આ ત્રણ નામના પણું શાસનપ્રભાવક ઘણા આચાર્ય આ કચ્છમાં થયા. યાવત્ સિદ્ધસેનસૂરિની પાટે હું (દેવગુપ્તસૂરિ) થયે. એમ દેવગુપ્તસૂરિએ આશાધરને કહ્યું. ત્યાર પછી આચાર્યે પોતાનું થોડું આયુષ બાકી રહેલું જાણું વિ. ૧૩૩૦ માં બાલચન્દ્ર નામના મુનિને સૂરિપદ આપ્યું, અને તેમનું નામ સિદ્ધસેનસૂરિ પાડ્યું. ત્યાર પછી, દેવગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા. આશાધર પણ વિવિધ ધર્મકૃત્યોને કરી સ્વર્ગે ગયે. ત્યાર પછી દેશલ ઘરને નાયક થયા. તેને “ભળી” નામે સ્ત્રી હતી. તેણે ત્રણ પુત્રને જન્મ આપ્યો. સહજ, સાહણ અને સમરસિંહ. દેશના નાના ભાઈ લાવણ્યસિંહને લક્ષ્મી નામે પત્ની હતી. તેને સામંત અને સાંગણ એ બે પુત્ર થયા. દેશલે પોતાના જ્યેષ્ઠ પુત્ર સહજને દક્ષિણના દેવગિરિ નગરમાં મોકલ્યો અને ત્યાં તેણે પોતાના ચાતુર્યથી રામદેવ નૃપને અધીન કરી ‘કપુરધારાપ્રવાહ એવું બિરુદ મેળવ્યું. ત્યાં તેણે એક મોટું પાર્શ્વજિનનું મંદિર કરાવ્યું અને સિદ્ધસેન સૂરિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સર્વકળામાં કુશળ એવા સાહણને ખંભાત મોકલ્યો. તૃતીય પ્રસ્તાવ તે વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદીન બાદશાહ હતો. જેણે દેવગિરિ જઇ તેના રાજાને બાંધી ત્યાં અલાઉદ્દીન. પિતાને જ્યતંભ રોપ્યો હતો. જેણે સપા દલક્ષના સ્વામી પરાક્રમી હમ્મીર નૃપને મારી તેનું બધું લઈ લીધું. તેણે ચિતોડના રાજાને બાંધી તેનું ધન લઇ તેને વાંદરાની પેઠે નગરે નગરે ભમા. જેના પ્રતાપથી ગુજરાતનો રાજા કરણ નાસી જઈને વિદેશમાં ભટકીને રાકની પેઠે મરણ પામ્યા. માળવાનો રાજા ઘણા દિવસ સુધી બદીવાનની પેઠે કિલ્લામાં રહીને કાયરપણે ત્યાં જ મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy