________________
વીર નિર્વાણથી બાવનમા વર્ષે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું, અને તે પછી અઢાર વર્ષે ઉકેશપુરમાં મહાવીરના મંદિરની સ્થાપના કરી. તેમણે સવાલાખ શ્રાવકે તથા અઢાર હજાર જેને () પ્રતિબંધ પમાડ્યા અને ઊકેશ ગચ્છની સ્થાપના કરી. તેની પાટે અનુક્રમે યક્ષદેવસરિ, કારિ,દેવગુણસરિ,સિદ્ધસેનસૂરિ, અને રત્નપ્રભસૂરિ થયા. એ પ્રમાણે આચાર્યના એ પાંચ નામ વડે પાંચ આનન વડે જેમ સિંહ શેભે તેમ આ ગચ્છ શોભતો હતો. પૂર્વોક્ત પાંચ નામના આ ગચ્છમાં ઘણું આચાર્યો થયા.ત્યાર પછી કસૂરિ થયા અને તેણે આ ગચ્છમાં સચ્ચિકા દેવી, સર્વાનુભૂતિયક્ષ અને ચક્રેશ્વરીની વાણીથી તેવા પ્રકારના ગ્ય પાત્રના અભાવે રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિનું નામ બન્ધ પાડ્યું. આર્યસમુદ્ર અને આર્યસમુદ્રની પાટે કેશિગણધર થયા છે એમ જણાવેલું છે. જુઓ સાહિત્યસંશોધક નં. ૨ અં. .
૨ તે સંબંધે ઊકેશગચ્છીય પટ્ટાવલિમાં એવું કારણ બતાવવામાં આવ્યું છે કે કસૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપ કર્યું. તેના સ્મરણાત્રથી મટકોટના સોમક શ્રેષ્ઠીની બન્ધનશંખલા તૂટી ગઈ. શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે જેના નામ મરણમાત્રથી બંધન રહિત થયો છું તો એકવાર જઈ તેને વંદન કરૂ. તે ભરૂચ આવ્યા. મુનિઓ ભિક્ષાએ ગયા હતા. ગુરુની પાસે સચિકાદેવી હતી, બારણું બંધ હતું. તેને ગુરુ સબધે શંકા થઈ તેથી દેવીએ શિક્ષા કરી, તે મુખથી રુધિરનું વમન કરવા લાગ્યા. મુનિઓ ભિક્ષાથી પાછા ફર્યા. વૃદ્ધ ગણાધિપે જાણ્યું અને ગુરુને કહ્યું કે ભગવન ! બારણે સેમક શ્રેષ્ઠી લોહી વમતે પડેલ છે. ગુએ સચ્ચિદાનું આ કૃત્ય છે એમ જાણ્યું અને દેવીને બોલાવીને પૂછયું. દેવીએ કહ્યું કે ભગવન ! મેં તે યોગ્ય જ કર્યું છે, તે પાપિઠ છે, કેમકે જેના સ્મરણથી તેના બન્ધન તૂટી ગયા તે સંબંધે તેણે દુષ્ટ વિચાર કર્યો. ગુએ દેવીને ગુસ્સો છોડી તેના ઉપદ્રવની શાનિત કરવા કહ્યું. દેવીએ તેમ કર્યું અને હવે મારું પ્રત્યક્ષ આગમન નહિ થાય તેમ જણાવ્યું. દેવીના વચનથી રત્નપ્રભસૂરિ અને યક્ષદેવસૂરિના નામ ભડાવી દીધા. ઊકેશીય પદાવલી જુઓ સાહિત્ય સંશોધક નં. ૨ અં, ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org