________________
પ્રસ્તાવ ૩. ગ; કેમકે કપર્દીયક્ષના કહેવાથી તેનું મન નિસંદેહ થયું હતું. ૧૨૪ તેણે દાણ લેનારા અધિકારીઓને ત્રણ લાખ દ્રવ્ય આપીને પિતાનાં આવનારાં વહાણની સદેહ ભરેલી વસ્તુના સંબંધમાં દાણને નિશ્ચય પણ કરી લીધો. ૧૨૪ તેવામાં પુષ્કળ ધનથી ભરેલાં અઢારે વહાણે અણચિંતવ્યાં આવી પહોંચ્યાં એટલે જાવડિ હર્ષ પામે, ૧૨૫ અને દાણ લેનારા પેલા અધિકારીઓ તે અનેક લાખો રૂપીઆનું પોતાનું દાણ ગયેલું જઇને શરમિંદા થઈ ગયા અને ધન ગયા પછી જેમા જુગારી હાથ ઘસે તેમ, પોતાના હાથ ઘસવા લાગ્યા. ૧૨૬ શ્રેષ્ઠી જાવડિઓ વહાણમાં આવેલાં કરીઆણાં વેચી નાખ્યાં અને તેથી અનેક કરે દ્રવ્યને તે આસામી બની ગયે. કેમકે, પ્રાણીઓને પુણ્ય કરવાને મરથ તત્કાળ ફળે છે. ૧૨૭ પછી જાવડિ યક્ષે બતાવેલા જિન ભગવાનના બિંબ માટે મહાકીમતી ભેટ લઈને ગજજનક દેશમાં ગયે. ૧૨૮ ત્યાં યવન જાતિને (મુસલમાન) એક સુલતાન રાજ્ય કરતો હતો. તેને જાવડિએ જાત જાતના શ્રેષ્ઠ ભેટનું ધરી પ્રસન્ન કર્યો. ૧ ૨૯ એટલે તે સુલતાને કહ્યું –“હે શ્રેષ્ઠી ! બોલ, તારે જે કંઈ પ્રયોજન હોય તે તું મને કહે, તે બીજા કાઈથી ન સાધી શકાય તેવું હશે તો પણ હું જાતે કરવા તૈયાર છું.” ૧૩° ત્યારે જાવડિ બોલ્યો –“હે રાજા ! આપ તે યાચકેને કલ્પવૃક્ષ જેવા છે, જે તમે મને મારું માગેલું આપતા હો તે હું એક બિંબ માગું છું. તે મને આપો.” ૧૩૧ એ સમયે રાજાએ “બહુ સારૂ” એમ કહીને તે આપવા વચન આપ્યું, પણ તે વિષે પ્રશ્ન કર્યો કે એ બિંબ શું છે ? કેમકે તે યવન હાઇને બિંબ શબ્દના અર્થથી અજાણ્યો હતો, ૧૩૨ પછી જાવડિએ કહ્યું –“હે પ્રભુ! જે દેવની અમે પૂજા કરીએ છીએ તેની જે મૂર્તિ તે બિંબ કહેવાય છે અને તે અહીં ભોંયરામાં છે.” ૧૩૩ રાજાએ કહ્યું –“ભલે તે ભેંયરાને જો તું જાણતું હોય તો એ બિંબને લઈ જા.” રાજાની એ આજ્ઞા થતાં જ
(૧૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org