SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજયતીર્થના ઉદ્ધારે. જાવડિએ યક્ષની કહેલી નીશાનીઓ ઉપરથી તે સ્થાન જાણી લીધું અને ભેંયરાની ભૂમિને માણસેદારા જેવી અલગ કરાવી કે તુરતજ બિંબ પ્રકટ થયું. ૧૩૪-૩૫એ બિંબની ચકેશ્વરી દેવી જાતજાતના રત્નાલંકારથી તથા દિવ્યમાળાઓથી નિત્ય પૂજા કરતી હતી. ૧૩૬ તે વેળા યવન રાજાએ પ્રતિમાનાં દર્શન કરી મનમાં વિચાર કર્યો કે આ તે સાક્ષાત જગતકર્તાજ નિકળેલા છે. પછી તેણે પ્રતિમાને પ્રણામ કરી મોટો ઉત્સવ કરાવ્યો. ૧૩૭ વળી તે સુલતાને જાવડિની પ્રશંસા કરી કે, ખરેખર તું કે ધન્યવાદ પાત્ર છે અને પુણ્યશાળી છે, કેમકે દેવતાઓ પણ આ રીતે તારાપર પ્રસન્ન છે. ૧૩૮ માટે ખુશીથી, તું આ પ્રતિમાને લઈ જા અને પિતાનો મનોરથ પૂર્ણ કર. મને પિતાને પણ આ મારા સ્થાનમાંથી પ્રતિમા આપવાથી પુણ્યને લાભ મળવા દે. ૧૩૯ એમ કહી તે સુલતાને રેશમી વસ્ત્રો તથા સુવર્ણના અલંકારો આપી જાવડનું સન્માન કર્યું અને ઉત્સવપૂર્વક પ્રતિમા સહિત તેને ત્યાંથી વિદાય કર્યો. ૧૪૦ અનુક્રમે મહાવિકટ માર્ગને પણ સુભાગ્યથી કાપીને દેવતાના અતિશયને લીધે તે પ્રતિમા શ્રી શત્રુંજય પાસે આવી પહોંચી. ૧૪૧ પછી જાવડ, દરરોજ પર્વતની જેટલી ઉંચાઈ સુધી પિતાના માણસ પાસે મહેનત કરાવીને પ્રતિમાને ઉંચે ચઢાવતો હતો તેટલીજ નીચાઈ સુધી એક વ્યંતર, દરરોજ તે પ્રતિમાને પાછી ઉતારી નાખવા લાગ્યો, જેથી એ પરિશ્રમમાંજ તેના છ મહિના વીતી ગયા. ૧૪૪–૧૪૩ આખરે જાવડિ થાક્યો, તેણે યક્ષનું મનમાં ચિંતન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ આવી જાવડિને આવું સ્પષ્ટ વચન કહ્યું-૧૪૪ “હે શ્રેષ્ઠી ! તું અને તારી સ્ત્રી બન્ને આ પ્રતિમાનું ગાડું જ્યારે ચાલે ત્યારે તેના બને પૈડાંના પાછળના ભાગમાં ટકે મૂકવાના પત્થરની પેઠે ટેકા રૂપે થાઓ.” ૧૪૫ તે સાંભળી બીજે દિવસે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સાથે પૈડાંની (૧૫૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy