________________
શત્રુંજય તીર્થના ઉદ્ધારો માટે પત્ની સાથે ત્યાં બેઠે. ૧૧૧ બરાબર છો ઉપવાસ થયો એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, આ ઉપવાસ કરવામાં તારે શો હેતુ છે? તે તું મને કહે. ૧૧૨ ત્યારે જાવડિએ કહ્યું કે, હું ધર્મ બુદ્ધિથી ભગવાનને સ્નાન કરાવતો હતો, તેમાં તેમની પ્રતિમા ખંડિત થઈ છે, જેથી મે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. ૧૧ મારા ઉપર આ કલંક જ્યાં સુધી ચંદ્ર-સૂર્ય રહેશે ત્યાં સુધી મને તપાવ્યા કરશે અને તેને લીધે મારૂં મુખ જગતમાં દર્શન કરવાને અયોગ્ય થઈ પડયું છે. ૧૧૪ માટે હે યક્ષેશ ! હે સ્વચ્છ આશયવાળા ! તમે મારા પર એવી કૃપા કરો, જેથી આ પાપમાંથી મારી કંઈક મુક્તિ થાય. ૧૧૫ પછી યક્ષે કહ્યું -“*ગજનક દેશમાં શ્રીબાહુબલિએ કરાવેલું આદિનાથ ભગવાનનું બિંબ છે. ચક્રેશ્વરી દેવી હમેશાં તેની પૂજા કરે છે અને હમણાં તે એક યરામાં રહેલું છે; માટે તેને અહીં લાવીને આ દેરાસરમાં મૂળનાયક તરીકે તેની પ્રતિષ્ઠા કર.” ૧૧૬-૧૧૭ તે સાંભળી જાવડ બોલ્યો-“મારા ઘરમાં તેટલું પુષ્કળ ધન નથી, કે જેથી તે ગજજનક જેટલા દૂર પ્રદેશથી તે પ્રતિમાને હું લાવી શકું” ૧૧૯ત્યારે યક્ષે કહ્યું -“આ બાબતમાં તારે કઈ પ્રકારની ચિંતા કરવી નહિ. તે પ્રથમ બાર વર્ષ પહેલાં જે અઢાર વહાણ મોકલ્યાં છે તે તારા ભાગ્યને લીધે હવે સત્વર ધનથી ભરપૂર થઈ આવી પહોંચશે.” ૧૧૯ ૨૦ યક્ષના આ કહેવાથી જાવડિ પ્રસન્ન થયો અને પિતાની સ્ત્રી સીતાની સાથે તેણે તે કાર્યસિદ્ધિને અવશ્ય થનારી માની લીધી. ૧૨૧ પછી બરાબર સત્તાવીશમે દિવસે પોતાની પ્રિયા સાથે તેણે પારણું કર્યું, કારણ કે કઈ પણું સ્થળે મૃત્યુ પ્રાપ્ત કઈ પણ પંચમ સ્વરે ગાતે નથી. (8) ૧૨૨ તે પછી તીર્થનાયક ભગવાનને વાંદીને જાવડિ પિતાને નગરે * ગજ્જનક દેશ હાલના સમયમાં ગીઝની નામથી ઓળખાય છે.
( ૧૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org