________________
પ્રસ્તાવ ૩,
પ્રતિ, વિક્રમ, પાદલિપ્ત, આમ, દત્ત અને શ્રી શાતવાહન વગેરે ઘણા ઉદ્ધારક થઈ ગયા છે.
પાછળથી આ કળિયુગના સમયમાં શ્રેષ્ઠી જાવડિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો છે. તે જાવડિ ધર્મનિષ પુરુષોમાં મુખ્ય હતો અને તેણે જે પ્રમાણે આને ઉદ્ધાર કરાવ્યું છે તે વૃત્તાંત મારા સાંભળવા પ્રમાણે હું તને આદરપૂર્વક કહું છું, સાંભળ –૯–૧૦૨
જાડિને ચોથો ઉદ્ધાર. પૂર્વે મધૂક (મહુવા)નામના નગરમાં પ્રાગ્વાટ કુળમાં ઉત્પન્ન થયેલો જાવડ શ્રેણીનો પુત્ર જાપડિ નામને થઈ ગયો છે. ૧૦૩ તેને સીતાદેવી નામની સુશીલ સ્ત્રી હતી. તે જાણે પ્રત્યક્ષ સીતા અવતરી હોય તેવી જણાતી હતી. માત્ર રાવણને પ્રિય ન હતી. ૧૦૪ એક દિવસે જાવડિ પિતાની એ ધર્મપત્ની સાથે શત્રુંજય પર્વત ઉપર શ્રીનાભિનંદન ભગવાનની યાત્રા કરવા માટે ગયો. ૧૦૫ ત્યાં જઈને તેણે અતિહર્ષને લીધે રોમાંચિત થઈ જળભરેલા કળશોથી જિન ભગવાનને સ્નાન કરાવ્યું. ૧૦૬ તે સમયે સ્નાત્રની જળધારા અવિચ્છિન્ન રીતે પ્રતિમા પર પડતી હતી અને પ્રતિમા તો કેવળ લેપની જ હતી, જેથી લગાર ખંડિત થઈ ગઈ. ૧૦૭ આ જોઈને જાવડિ અને તેની પત્ની મનમાં ખેદ પામ્યાં. તેઓ ચારે પ્રકારના ભેજનને ત્યાગ કરી તીર્થકર ભગવાનની સન્મુખ બેસી ગયા. ૧૮ તેઓને વીશ ઉપવાસ થયા ત્યારે શાસન દેવીએ જાવડિને કહ્યું કે, જિનેશ્વરસ્વામી તે સિદ્ધ છે અને બુદ્ધ છે, તે તને શું ઉત્તર આપશે ? માટે કપર્દી નામને યક્ષ જે આ તીર્થનો રક્ષક છે તેની આગળ તું જા અને તારી ઇચ્છામાં આવે તેટલા ઉપવાસ કર. ૧૦૯–૧ ૧૦ શાસન દેવીના આ વચનથી જાવડિ યક્ષના મંદિરમાં ગયા અને પિતાની ઈષ્ટસિદ્ધિ
( ૧૪૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org