________________
પ્રસ્તાવન ૩.
છે. તેમાંના બીજા ઉદ્ધારક તરીકે સગર ચક્રવર્તી થઈ ગયો છે. ૮ તે કાળમાં આ પર્વત ઉપર રામ વગેરે ત્રણ કરોડ સાધુઓ, એકાણું લાખ નારદે અને દશ કરેડ દ્રવિડ-વાલિખિલ્ય વગેરે રાજાઓ આઠ કર્મરૂપ ઘાસને ક્ષણવારમાં બાળી ભસ્મ કરી નાખીને સિદ્ધિપદને પામ્યા છે. છ૯–૮૦ તેમજ પ્રદ્યુમ્ન–સાંબ વગેરે કુમારે સાડા આઠ કરોડ મુનિઓની સાથે આ પર્વત ઉપર સનાતન મેક્ષ પદને પામ્યા છે. ૮૧
પાંડવોનો ત્રીજો ઉદ્ધાર. તે પછી જ્યારે દુષમકાળ ઉપસ્થિત થયે અને લેકે લેભી થવા લાગ્યા, તે જોઈને પાંડવોએ, સુવર્ણરત્નમય તે ચૈત્યની તથા તેમાંની રત્નમય પ્રતિમાની કઈ ગુપ્તસ્થાનમાં રક્ષા કરી-એટલે માણસ ન જઈ શકે તેવા સ્થાનમાં તેઓનું સ્થાપન કર્યું અને તે સ્થળે ઈટોનું તથા કાઠેનું મંદિર બંધાવી તેમાં ચૂના જેવા લેપ્ય પદાર્થોના મૂળ પ્રતિમા સ્થાપિત કરી. આ રીતે તેઓ ત્રીજા ઉદ્ધારક તરીકે લોકમાં વિખ્યાત થયા. ૮૨-૮૪ પછી તે પાંચે પાંડ માતા કુંતીની સાથે તથા વીશ કોડ મુનિઓની સાથે એ પર્વત ઉપર મોક્ષે ગયા. ૮૫ વળી થાવચ્ચાનું, શુક વગેરે સાધુઓ અને ભરત આદિ અસંખ્ય રાજાઓ, આ પર્વત ઉપર મોક્ષે ગયા છે. ૮ તેમજ બીજા તથા સોળમા તીર્થકર અજિતનાથ અને શાંતિનાથ ભગવાને પિત પિતાના સમયમાં આ પર્વત ઉપર ઘણું ચોમાસાં કર્યા છે. ૮૭ કેમકે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીનન્દિષણ આ પર્વતની યાત્રા કરવા ગયા હતા અને તે સમયે તેણે અજિતશાંતિસ્તવ નામનું સ્તોત્ર રચ્યું છે. આ ઉપરથી જણાય છે કે તેઓ બને ભગવાને ત્યાં ચોમાસાં કર્યા હતાં.) આ રીતે શત્રુંજય પર્વત ઉપરના ચૈત્યના તથા પ્રતિમાના પ્રત્યેક કાળમાં
( ૧૪ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org