________________
પ્રસ્તાવ ૩.
શકાય છે તે આ શરીર પણ વિજળીના ચમકારા જેવું અસ્થિર છેક્ષણભંગુર છે. સર્વ ભેગ-વૈભવ તથા કોઈ પ્રિય સાથેના સમાગમે પણ વાયુએ ઉરાડેલા આકડાના રૂ જેવા અસ્થાયી છે અને નગરે, ખાણ, તળાવ તથા ગામડાં વગેરે જે કંઇ વસ્તુ જોવામાં આવે છે તે સમગ્ર ચંચળ છે.૩૩ વળી ઓછામાં પૂરું હમણું આ દુષમકાળ ચાલી રહ્યો છે, જેના સંબંધમાં તીર્થકરોએ કહ્યું છે કે, બીજા સર્વકાળા કરતાં દુષમકાળમાં અનંતગણ હાનિ જેવામાં આવે છે. ૩૪ માટે હે શ્રેષ્ઠી સત્તમ! સંસારના આ સ્વરૂપને વિચાર કરી તારે શેક કર નહિ, પણ મનમાં એવો વિચાર કરો કે, ૩૫ આ સમયે જે પુરુષ એ આદિનાથ ભગવાનને ઉદ્ધાર કરાવશે તે જ ખરો ધનવાન હેઈને ધન્યવાદપાત્ર ગણશે, કેમકે તેથી તીર્થને સમૂળગો નાશ નહિ થાય. હે ભદ્ર! આ શ્રી શત્રુંજયનું તીર્થ એ પર્વત
જ્યાં સુધી પૃથ્વી પર રહેશે ત્યાં સુધી સદાને માટે અવિનાશી રહેશે. ૩૭ કેમકે હે શ્રેષ્ઠી ! પૂર્વકાળમાં પણ સમુદ્રમાં જેટલા જળબિંદુઓ છે તેટલા આ તીર્થના ઉદ્ધારે થઈ જ ગયા છે.૩૮ તેઓમાંના પાંચ ઉદ્ધારે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા છે (અને તેઓ મારા જાણવામાં છે પણ) બાકીનાનું નામ પણ જાણી શકાતું નથી. પછી દેશલે બે હાથ જોડીને ગુરુને વિનતિ કરી કે, હે પ્રભુ! શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારાનું તમે અનુક્રમે વર્ણન કરે. કેટલાં વર્ષોની પહેલાં એ મહાતીર્થ પ્રકટ થયું ? એનો મહિમા કેવો છે ? પૂર્વકાળમાં તેના ઉદ્ધાર કરનારા કેણ થઈ ગયા છે ?૪૦-૪૧ - શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર.
ગુરુ બોલ્યાઃ– “હે શ્રેષ્ઠી ! કેટલીએક ઉત્સપિણુંઓ તથા અવસપિણીઓ ચાલી ગઈ છે; પણ આ તીર્થ તે તે સર્વમાં હતું જ.
( ૧૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org