________________
શત્રુજ્ય તીર્થને ભંગ.
રડવા લાગ્યા. એ વખતે એવો કોઈ બાળક, તરુણ કે વૃદ્ધ શ્રાવક અથવા શ્રાવિકા ન હતી કે જેણે (એ વાત સાંભળીને) પાણું પણ પીધું હોય. ૨૩ દેશલ પણ એ વાત સાંભળીને જાણે વજીથી હણાયે હેય તેમ (મૂછિત થઈને) પૃથ્વી પર પછડાઈ પડ્યો અને પછી શીતલ ઉપચાર કરવાથી તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો,૨૪ “અરે ! કલિયુગ ! તને ધિક્કાર છે, કેમકે તું પાપી છે, ધર્મના વિન નાયક છે, તીર્થોનો વિનાશક છે અને સત્ય, પવિત્રતા તથા સજનપર દોષારોપ કરનાર છે. ૨૫. આહ ! એ પાપી ! આ શત્રુંજય મહાતીર્થ, જે સંસાર સમુદ્રના પાર, પહોંચાડવામાં સમર્થ છે, તેને પણ તે નાશ કર્યો !! ખરેખર, આ કલિકાળ, પિશાચના જેવો દુષ્ટબુદ્ધિ છે; કેમકે તે, સંતોષને પ્રાપ્ત થયેલા વિવેકી મનુષ્યની પણ વિટંબના કરે છે-તેની પણ આખા જગતમાં ફજેતી કરે છે. ૨૭ જેમ એક શ્યામ કાગડે, પવિત્ર જળથી ભરેલા સુંદર ઘડામાં પોતાની ચાંચ બોળીને તેને વટલાવે છે તેમ, આ કળિયુગ પણ પુણ્યરૂપ જળથી ભરેલા ભવ્ય જીવરૂપ ઘડામાં પિતાને પસાર કરીને તેને વટલાવે છે, દુરાચારી-અભિવ્ય કરી મૂકે છે. ૨૮ આવો શોક કરી દેશલ, ગુરુ સિદ્ધસૂરિ પાસે ગયે અને ત્યાં જઈને તીર્થમાં કરવામાં આવેલું પ્લેચ્છ લેનું સર્વ કૃત્ય તેણે કહી સંભળાવ્યું. તે સાંભળીને શાસ્ત્રજ્ઞાનના સમુદ્રરૂપ શ્રીસિદ્ધસૂરિએ કહ્યું કે, હે શ્રેષ્ઠી ! તું ખેદ કર મા. સંસારની સ્થિતિ એવી જ હોય છે, સાંભળી આ સંસાર અસાર છે. તેમાંની સર્વ વસ્તુ સદાને માટે ક્ષણવિનાશી છે. એવો કોઈ પણ પદાર્થ નથી કે જેને સ્થિરતા પામેલે કોઈએ જાણ્યો હોય.૩૧ જેમ નદીના તથા સમુદ્રના તરંગે ચંચળ છે તેમજ પ્રાણી માત્રનું જીવન, યૌવન તથા ધન ચંચળ છે, એટલું જ નહિ પણ જેનાથી સર્વ પુરુષાર્થો સાધી
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org