________________
શત્રુંજય તીર્થના ઉદ્ધારે. આ કંઈ અલ્પકાળનું નથી. વળી તે તે સમયે એનો ઉદ્ધાર કરનારા પણું ઘણું થઈ ગયા છે, જેઓનાં નામ હાલમાં જાણી શકાતાં નથી. કેમકે તે તે ઉદ્ધાર કાળને ઘણો સમય વીતી ગયો છે.૪૩ આજ અવસર્પિણીમાં પૂર્વે અતિમુક્ત આદિ આચાર્યોએ જે તીર્થમહિમા કહ્યું છે, તેનો કંઈક ભાગ હમણું હું તને કહું છું.૪૪ આ ભરતક્ષેત્રમાં પૂર્વે કેવળજ્ઞાનવડે સૂર્યસમાન અને સર્વતીર્થકરોમાં પ્રથમ શ્રીનાભિનંદન જિનેશ્વર થયા.૪પ તેમના ગણધર ચેરાશી હતા. તેઓમાં ભરતરાજાના પુત્ર પુંડરીક ગણધર મુખ્ય હતા. એક સમયે જ્યારે પિતાનામાં કેવળજ્ઞાન પ્રકટતું ન હતું, ત્યારે તેમણે શેકરૂપ વિષથી મનમાં ખિન્ન થઈને પ્રભુને પ્રણામ કરી કહ્યું કે,૪૪-૪૭ હે નાથ ! જળથી ભરેલા સરોવર પાસે રહ્યા છતાં જેમ કેઈ એક મનુષ્ય તૃષાતુર રહે, લવણું સમુદ્રના કિનારા ઉપર રહ્યા છતાં કેઇ દુર્બળ મનુષ્ય મીઠા વિનાનું અન્નજન કરે અને રોહણાચળ પર્વતનું સેવન કરતો હોય છતાં કોઈ મનુષ્ય એક કાંકરે પણ ન મેળવી શકે તેમ, હું તમારે પૌત્ર છું, ભક્તિમાન શિષ્ય છું તથા સતત આપની પાસે જ રહું છું, છતાં હજી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. ( એ કેવું આશ્ચર્ય ? )૪૮૫૦ એ સાંભળી ભગવાને કહ્યું –“હે મહાસત્વવાન પુંડરીક! તું ખેદ કર મા. તારામાં હજી પણ મહાદિ આંતર શત્રુઓ વસી રહ્યા છે.૫૧ તું જ્યારે શત્રુંજય તીર્થમાં જઈશ, ત્યારે હે મહાસત્ત્વ! આત્યંતર શત્રુઓને જિતને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ. પર પછી પુંડરીક, પ્રભુને નમસ્કાર કરી પોતાની સ્વાર્થસિદ્ધિની ઈચ્છાથી એકલાજ શત્રુંજય મહાતીર્થ તરફ ચાલી નીકળ્યા, કેમકે શત્રુઓને જિતવામાં કાણ વિલંબ કરે !૫૪ પુંડરીક ગણધર, એ પ્રમાણે શત્રુંજય તરફ જવા નીકળ્યા ત્યારે ભગવાનના પરિવારમાંથી કેટલાએક સાધુઓ પણ તેમની પાછળ નીકળી પડ્યા.૫૪ માર્ગમાં
(૧૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org