________________
પ્રસ્તાવ ૨,
જિનમંદિર માટે જગ્યા લીધી. કેમકે ધર્મકાર્યમાં કેણ વિલંબ કરે ? ૯૩૬ તે પછી થોડાજ દિવસમાં નિરંતર પુષ્કળ ધન આપવાને લીધે કારીગરેના ઉત્સાહથી દેવમંદિર તૈયાર થઈ ગયું. ૯૩૭ પછી દેશલે નરદમ આરસના પત્થરની અને તેથી ચંદ્રમા જેવી જણાતી મૂળનાયકની પ્રતિમા, બીજી બે મોટી પ્રતિમાઓ અને ચોવીશ નાની પ્રતિમાઓ તૈયાર કરાવી, તેમજ સત્યા દેવી, અંબિકા દેવી, સરસ્વતી દેવી અને ગુરુની મૃતિઓ પણ કરાવી. ૯૩૮-૯૩૯ તેમજ સિદ્ધસૂરિને આદરસત્કાર કરી, તેમને સાથે લઈ, દેશલ મજૂર પાસે પ્રતિમાઓ ઉપડાવીને દેવગિરિ તરફ જવા ચાલતા થા. ૯૪° સહજપાલ પણ ગુરુ તથા પ્રતિમાઓનું આગમને સાંભળી આનંદપૂર્વક ચાર પ્રયાણ સુધી સંધ સાથે સામે આવ્યો. ૯૪૧ અને ગુરુ તથા મૂળનાયક ભગવાન, દેવગિરિમાં જ્યારે આવી પહોંચ્યા ત્યારે સહજે પ્રવેશને મહેસવ કર્યો. ૯૪૨ તે વખતે પ્રવેશમંગળનાં વારિત્રોના પડઘા ચોતરફ સંભળાવા લાગ્યા; જાણે કળિકાળમાં નિદ્રાવશ થયેલા ધર્મને જગતમાં જાગ્રત કરતા હોય તેવા જણાવા લાગ્યા. ૯૪૩ નગરના પ્રત્યેક ઘરનાં બારણુઓ પર તોરણે શોભી રહ્યાં હતાં, જેઓ ભવ્ય જીવોની પુણ્યલતાએમાંથી નીકળેલા ફણગા હોય તેવાં દેખાતાં હતાં. ૯૪૪ વળી ઘેર ઘેર સ્થાપવામાં આવેલા પૂર્ણ કલશો, પુણ્યરૂપ રત્નોથી ભરપૂર હેઈને પ્રકટ થયેલા નિધિ સમાન શોભતા હતા. ૯૪૫ એ રીતે અતુલ મહત્સવ ચાલી રહ્યા હતા, ત્યારે સહજપાલ, પ્રતિમાઓને દેવમંદિમાં, અને ગુરુમહારાજને પોષધશાળામાં લઈ ગયો. ૯૪૬ પછી અનુક્રમે સિદ્ધસૂરિએ જળયાત્રા આદિ મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય સાથેપ્રતિષ્ઠા કરી. ૯૪ત્તે સમયે સારી રીતે પ્રસિદ્ધ થયેલા શ્રેણી દેશલે, ઉત્તમ પ્રતિનાં ભેજનથી તથા વસ્ત્રોથી ચારે પ્રકારના સંધનું સન્માન કર્યું. દેરાસરની આગળ વિશાળ મંડપ બંધાવી તેની તરફ મોહના પ્રવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org