________________
દેશલને વંશ.
પેલી તરફ સહજે પિતાના ગુણો વડે દેવગિરિના રામદેવ રાજાને એ તે વશ કર્યો, જેથી તે બીજા કેઈની વાત પણ કરતો ન હતો. ૨૫ વળી કપૂરના સમુદાયથી સુંદર એવું તાંબૂલ (પાનબીડું) તેને જ્યારે અપાતું હતું ત્યારે સ્તુતિપાઠકે “કપૂરધારા પ્રવાહ” એવું બિરુદ તેને આપતા હતા. ૯૨૬ તેની (સહજની) કીર્તિ, છેક તિલંગ દેશના રાજા સુધી પહોંચી ગઈ, જેથી પ્રેરાઈને તે રાજાએ પોતાના નગરમાં દેવમંદિર બનાવવા માટે તેને સ્થાન આપ્યું. ૯૨૭ વળી કર્ણાટક તથા પાંડુ દેશમાં પણ તેને યશ સદાકાળ ડોલવા લાગે, જેથી તે દેશના રાજા સુદ્ધાં સર્વ લોકે, તેને મળવા માટે આતુર થઈ જતાં હતાં. ૯૨૮ એક દિવસે ઉદાર બુદ્ધિવાળા દેશલ શ્રેષ્ઠીએ, શ્રીમાન દેવગિરિ નગરમાં નવું જૈન મંદિર કરવાની ઈચ્છા કરી. ૯૨૯ અને પિતાને મનોરથ સિદ્ધસૂરિ ગુરુને તેણે જણાવ્યું કે, એક જૈનમંદિર બંધાવવાની મને ઈચ્છા છે, માટે આપની કૃપાથી મારો એ મનોરથ સત્વર પૂર્ણ થાય તેમ તમે કરે. એ દેરાસરમાં મૂળનાયક તરીકે કયા ભાગવાનની પ્રતિષ્ઠા કરવી અને કોની પ્રતિષ્ઠા કરવાથી પરિણુમમાં હિત થાય, તે મને કહો. ૩૦-૩૧ ત્યારે ગુરુમહારાજે કહ્યું કે, તારા કોઈ ભાગ્યના યોગથીજ આવી તને ઈચ્છા થઈ છે. કેમકે જિનમંદિર બંધાવનારાઓની અતિ ઉચ્ચ ગતિ થાય છે. ૪ર તારા એ દેરાસરમાં દુષ્ટ અરિષ્ટોને નાશ કરનારા શ્રી પાર્શ્વનાથ ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપવા. કેમકે હે સાધુ! તે ભગવાન સર્વ ઈષ્ટ વસ્તુને આપનારા છે. ૯૩૩ આ સાંભળી દેશલે, દેવાગરિમાં રહેતા સહજને જિનદેરાસર કરવાની આજ્ઞા મેકલી. ૩૪ એટલે તેણે પણ ક્ષુધાતુર મનુષ્યો જેમ સાકરવાળા દૂધને હર્ષથી સ્વીકાર કરે તેમ, પિતાના પિતાની એ આજ્ઞાને સત્વર હર્ષપૂર્વક સ્વીકાર કર્યો. ૭૫ પછી તેણે નજરાણાં અર્પણ કરી રામદેવ રાજાને પ્રસન્ન કર્યો અને તે નગરમાં
(૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org