________________
પ્રસ્તાવ ૨.
હતા તે ક્યા મનુષ્યને વિસ્મય પમાડતા ન હતા ? કેમકે તેઓ લોકેને બંધનથી છોડાવતા હતા. ૧૪
દેશલના નાનાભાઈનું નામ લાવણ્યસિંહ હતું. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી નામની સ્ત્રી છે તેમ, પ્રાણી માત્રનું હિત કરનારી લક્ષ્મી નામની
સ્ત્રી હતી. ૯૧૫ એ લાવણ્યસિંહ, દાન વડે યાચકાને પાંચ શાખા-- વાળા કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો હતો અને કામધેનુ, ચિંતામણિ રત્ન તથા પારિજાતક–એ ત્રણેના અધિષ્ઠાયક દેવ કરતા પણ ઉચ્ચ સ્થાને પહોંચ્યો હત–તેઓના કરતાં પણ અધિક દાતા હતા. ૯૧૬ જેમ આકાશ, સૂર્ય તથા ચંદ્રરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે તેમ, એની સ્ત્રી લક્ષ્મીએ બે પુત્રને જન્મ આપ્યો હતો. આ બે પુત્રો પણ સમગ્ર જગતનો ઉપકાર કરવામાં ધુરંધર હતા. તેમાંના પહેલાનું નામ સામંત હતું, જે શમ, શૌચ, સત્ય, શીલ, સત્વ તથા સંયમશાળી પુરુષોમાં સદા અતિ ઉત્તમ હતે. ૯૧૭–૧૮ આના નાના ભાઈનું નામ સાંગણ હતું. તે પણ જગતમાં પ્રખ્યાત અને તેના ગુણે, મનુષ્યના કાનમાં આવીને લાગલાજ હૃદયમાં ચોંટી જતા હતા અર્થાત તેના ગુણે કર્ણપ્રિય હેઇને હદયાકર્ષક પણ હતા. ૯૧૯ લાવણ્યસિંહ સ્વર્ગે ગયો એટલે તેને મોટા ભાઈ દેશલ, જે સર્વદા મેટે ભાગ્યશાળી હતો તેણે ઘરનું સમગ્ર એશ્વર્ય પોતાને સ્વાધીન કર્યું. અને પાંચ શુભાવહ અણુવ્રતોથી યુક્ત મૂર્તિમાન ગૃહસ્થ ધર્મની પેઠે પાંચ પુત્રોથી યુક્ત હેઈને શોભવા લાગ્યો. ૯૨૦–૮૨૧ પિતા-દેશલે પિતાના મોટા પુત્ર સહજને વિશેષ ગુણવાન, જાણી શ્રીમાન દેવગિરિ નગરમાં રહેવા માટે મોકલ્યો. ૯૨૨ અને તેનાથી નાના સાહણને સર્વ કળાઓમાં કુશળ જાણું તંભતીર્થ નગરમાં રહેવા માટે મોકલ્યા. ૯૨૩ આ રીતે તેણે સર્વ પુત્રને, સારથિ જેમ ઘડાઓને ચાબુક મારીને સન્માર્ગે લઈ જાય તેમ, શિખામણ રૂપી ચાબુકે મારી મારીને સન્માર્ગે જનારા કર્યા. ૨૪
( ૧૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org