SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શેખરાજની કથા. શંખમુનિને મેક્ષ. એ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પાળીને તથા કેવળજ્ઞાનરૂપ સંપત્તિ સંપાદન કરીને શંખમુનિએ અનેક ભવ્ય જીવોને બોધ પમાડ્યો અને આખરે પિતાના મિત્રની સાથે તે મેક્ષે ગયો.૯૯૧ આ શંખરાજાનું ચરિત્ર, ધર્મશ્રવણ કરવામાં પ્રીતિવાળા મનુષ્યોની શ્રવણેન્દ્રિયનું આકર્ષક છે, માટે તેનું શ્રવણ કરી ભવ્ય જીવો કે પણ જાતના નિયાણું રહિત એવા દાનધર્મમાં નિરંતર આસકત થાઓ કેમકે, દાનધર્મ મેક્ષસુધી લઈ જનારે છે.૮૯૨ દાનના વિષયમાં શંખરાજાની કથા સમાપ્ત. (ગુરુ આશાધરને કહે છે–) તેમજ શીલ પણ સર્વ કલ્યાણોનું મૂળ છે, માટે વિવેકી પુરુષે તેનું પાલન કરવું. આ શીલના પ્રભાવથી સિંહ, હાથી વગેરે દુર્દમ પ્રાણીઓ પણ વશ થાય છે.૮૯ વળી બાર પ્રકારનું જે તપ કહેવામાં આવ્યું છે તેનું પણ વિદ્વાન મનુષ્ય સેવન કરવું, કેમકે તપથી નિકાચિત કર્મોને પણ નાશ થાય છે. ૮૯૪ તેમજ સ્વચ્છ આશયવાળા પુરુષોએ નિરંતર ભાવના પણ ભાવવી જોઇએ, કેમકે ભાવના ભાવવાથી દાન, શીલ અને તપ સફળ થાય છે. ૮૫ હે સત્પષ ! દાન, શીલ, તપ અને ભાવના–આ ચારેમાં ભાવના સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને તે બીજ સર્વને જિતનારી છે–સર્વ કરતાં વિશેષ ફળદાયી છે. માટે ગૃહસ્થાશ્રમીઓએ તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યો કરીને ભાવના હમેશાં ભાવવી જોઈએ. ૬૯ વળી હે આશાધર ! સંઘનું અધિપતિપણું પ્રાપ્ત કરવું, કેમકે તે ચક્રવતીઓને પણ દુર્લભ છે. અને તેથી તીર્થકરનું નામ-ગોત્ર પણ મેળવી શકાય છે.”૮૯૭ ગુરુને આ ઉપદેશ આશાધરના હૃદયમાં વજલેપની પેઠે લાગી ગયો અને તે ઉપદેશમાં મગ્ન થયેલી એની ધર્મબુદ્ધિ નિશ્ચળ (૧૩૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy